ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ ઓડીટ સમયસર કરાવવું છે જરૂરી

-By Bhavya Popat,
સામાન્ય રીતે ૩૦ સપ્ટેમ્બર સુધી ઓડીટ રજુ કરવાની તારીખમાં વધારો કરી ૩૧ ઓક્ટોબર કરી આપવામાં આવેલ છે.
આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ વેપારીઓ અને વ્યાવસાયિકોને તેમની ધંધાકીય આવક/ટર્નઓવર પર આધારિત વિવિધ પ્રકારની ફરજો નક્કી કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ કલમ 44AB – ટેક્સ ઑડિટ છે. આ જોગવાઈ કરદાતાની હિસાબી પારદર્શકતા, નફો-ખોટની સાચી ગણતરી અને સરકારને કરની યોગ્ય વસુલાત સુનિશ્ચિત કરે છે.
આ લેખમાં અમે કલમ 44AB, સાથે સાથે કલમ 44AD, 44ADA અને 44AE તથા તેમાં ઑડિટની આવશ્યકતા, અને જો સમયસર ઑડિટ રિપોર્ટ ન સબમિટ કરવામાં આવે તો લાગતા દંડ વિષે વિગતવાર ચર્ચા કરીશું.
- કલમ 44AB – ટેક્સ ઑડિટ
1.1 ટેક્સ ઑડિટ શા માટે જરૂરી છે?
- સરકારને ખાતરી રહે કે કરદાતા દ્વારા બતાવેલા આંકડા (ટર્નઓવર, નફો, ખર્ચ) સાચા છે.
- નફાની અને ખર્ચની ખોટી ગણતરી થતી અટકાવવા.
- કર ચોરીને રોકવા.
- આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે ખાતરીપૂર્વકની માહિતી ઉપલબ્ધ કરાવવી.
1.2 ટેક્સ ઑડિટ ક્યાં વેપારીઓ માટે ફરજિયાત છે?
(a) ઉત્પાદક કે વેપારી માટે:
- જો ટર્નઓવર ₹1 કરોડથી વધારે છે તો ટેક્સ ઑડિટ ફરજિયાત છે.
- જો કે, ડિજિટલ ચુકવણી/બેન્કિંગ માધ્યમથી લેવડ–દેવડ 95% કે તેથી વધુ હોય, તો મર્યાદા ₹10 કરોડ સુધી વધે છે.
(b) ડોક્ટર/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ/એડવોકેટ જેવા વ્યવસાય (Profession):
- જો કુલ આવક ₹50 લાખથી વધારે છે તો ટેક્સ ઑડિટ ફરજિયાત છે.
- કલમ 44AD – અનુમાનિત આવક (Presumptive Taxation for Small Businesses)
2.1 કોને લાગુ પડે છે?
- વ્યક્તિ, HUF અથવા પાર્ટનરશિપ ફર્મ (LLP નહીં).
- જો વ્યવસાયનો ટર્નઓવર ₹2 કરોડ સુધી છે તો કલમ 44AD હેઠળ અંદાજીત આવક યોજના નો લાભ લઇ શકે છે.
2.2 આવકનો અંદાજ કેવી રીતે?
- ટર્નઓવર પર 8% નફો માનવામાં આવશે.
- જો તેઓની આવક સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હોય તો 6% નફો અંદાજવામાં આવે છે.
2.3 ઑડિટની જરૂરિયાત
- જો કરદાતા 44AD હેઠળ નફો બતાવવાનો પસંદ ન કરે અને નફો 6%/8% કરતાં ઓછો બતાવે તો:
- જો તેની કુલ આવક મૂળ છૂટની મર્યાદા (Basic Exemption Limit) કરતાં વધારે છે, તો ટેક્સ ઑડિટ ફરજિયાત છે.
- કલમ 44ADA – અનુમાનિત આવક (Presumptive Taxation for Professionals)
3.1 કોને લાગુ પડે છે?
- ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, આર્કિટેક્ટ, એકાઉન્ટન્ટ, ટેક્નિકલ કન્સલ્ટન્ટ વગેરે જેવા વ્યાવસાયિકોને.
- જો કુલ આવક (ગ્રોસ રિસીપ્ટ) ₹50 લાખ સુધી હોય.
3.2 આવકનો અંદાજ કેવી રીતે?
- કુલ રસીદ પર 50% નફો માનવામાં આવશે.
3.3 ઑડિટની જરૂરિયાત
- જો વ્યાવસાયિક નફો 50% કરતાં ઓછો બતાવે અને તેની આવક બેઝિક એક્ઝેમ્પ્શન લિમિટ કરતાં વધારે છે, તો ઑડિટ ફરજિયાત છે.
- કલમ 44AE – અનુમાનિત આવક (For Transporters)
4.1 કોને લાગુ પડે છે?
- જે વ્યક્તિ/ફર્મ/કંપની પાસે માલ વહન માટે મહત્તમ 10 વાહનો હોય.
4.2 આવકનો અંદાજ કેવી રીતે?
- દરેક હેવી વાહન માટે પ્રતિ મહિના ₹1,000 પ્રતિ ટન ક્ષમતા.
- દરેક અન્ય વાહન માટે પ્રતિ મહિના ₹7,500.
4.3 ઑડિટની જરૂરિયાત
- જો કરદાતા ઉપર દર્શાવેલ પ્રમાણે નફો બતાવતો ન હોય અને ઓછો નફો બતાવે, તથા કુલ આવક મૂળ છૂટ મર્યાદા કરતાં વધારે હોય, તો ઑડિટ ફરજિયાત છે.
- ટેક્સ ઑડિટ રિપોર્ટ – ફોર્મ અને ડ્યુ ડેટ
- ઑડિટ રિપોર્ટ ફોર્મ 3CA/3CB અને 3CD માં તૈયાર કરવો પડે છે.
- ડ્યુ ડેટ સામાન્ય રીતે 30 સપ્ટેમ્બર સુધી હોય છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે આ મુદતમાં વધારો કરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ કરી આપવામાં આવેલ છે.
- સમયસર ઑડિટ રિપોર્ટ ન દાખલ કરવથી થતો દંડ:
6.1 દંડ (Penalty u/s 271B)
- જો કોઈ વ્યક્તિ ફરજિયાત ટેક્સ ઑડિટ કરાવતો નથી, તો આવકવેરા વિભાગ દંડ ફટકારી શકે છે.
- દંડની રકમ:
- 0.5% of Turnover/Receipts
- અથવા ₹1,50,000,
- બંનેમાંથી જે ઓછું હોય તે.
6.2 ઉદાહરણ
જો ધંધાનું ટર્નઓવર ₹5 કરોડ છે અને વ્યક્તિએ ઑડિટ કરાવ્યું નથી:
- 0.5% of ₹5 કરોડ = ₹2.5 લાખ.
- પણ મહત્તમ દંડ ₹1.5 લાખ જ લાગશે.
6.3 દંડથી રાહત
જો કરદાતા સાબિત કરી શકે કે યોગ્ય કારણસર (Reasonable Cause) ઑડિટ રિપોર્ટ સમયસર સબમિટ ન થયો (જેમ કે કુદરતી આફત, સિસ્ટમની તકલીફ, વ્યાવસાયિકની બીમારી), તો ઇન્કમ ટેક્સ ઓફિસર દંડ માફ પણ કરી શકે છે.
આવકવેરા અધિનિયમની કલમ 44AB તથા અનુમાનિત યોજનાઓ (44AD, 44ADA, 44AE) એ નાના-મોટા વેપારીઓ અને વ્યાવસાયિકો માટે પારદર્શકતા અને સરળતા લાવે છે. પરંતુ, આ યોજનાઓમાં રહેલી શરતોને યોગ્ય રીતે સમજવી અને સમયસર ઑડિટ તથા રિપોર્ટિંગ કરવી ખૂબ જ આવશ્યક છે. ઓડીટની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોય જે કરદાતાઓને ઓડીટની જોગવાઈઓ લાગુ પડતી હોય તેઓ પોતાનું ઓડીટ સમયસર કરાવી લે અને ઓનલાઈન દાખલ કરી આપે તે જરૂરી છે.