DIN ટાંકવા શું હવે ફરજિયાત નથી???

સેંટરલ GST દ્વારા DIN ટાંકવા હજુ ફરજિયાત છે. માત્ર જી.એસ.ટી. પોર્ટલ ઉપર આપવામાં આવેલ નોટિસ કે પત્રમાં DIN જરૂરી નથી
તા. 23.06.2025: સેંટરલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આપવામાં આવતા કોઈ પણ પત્ર, નોટિસ, ઓર્ડર અથવા કોઈ પણ પત્રવ્યવહારમાં DIN એટ્લે કે “ડોકયુમેંટ આઈડેંટીફીકેશન નંબર” ટાંકવા ફરજિયાત 05 નવેમ્બર 2019 થી ફરજિયાત બનાવવામાં આવેલ છે. કરદાતાને ઇ મેઈલ ઉપર મોકલવામાં આવેલ પત્ર ઉપર પણ DIN દર્શાવવા ફરજિયાત છે. 09 જૂન 2025 ના રોજ એક સર્ક્યુલર 249/06/2025 બહાર પાડવામાં આવેલ છે જેમાં અમુક પ્રકારે આપવામાં આવેલ પત્ર વ્યવહારમાં DIN ફરજિયાત નથી તેવું જાહેર કરવામાં આવ્યું છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર જ્યારે કોઈ પત્ર, નોટિસ, ઓર્ડર વગેરે જ્યારે આપવામાં આવે છે ત્યારે તેમાં REF No હોય છે. આ રેફરન્સ નંબર હોય તેવા સંજોગોમાં DIN ની જરૂર નથી તેવું 09 જૂનના રોજના સર્ક્યુલર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. DIN ફરજિયાત નથી તેવું માત્ર પોર્ટલ ઉપરથી પાઠવવામાં આવેલ નોટિસ, ઓર્ડર વી. ને લાગુ પડે છે અને એ સિવાય આપવામાં આવેલ કે કરવામાં આવેલ પત્ર વ્યવહાર ઉપર DIN હજુ ફરજિયાત છે. આમ, DIN હવે ફરજિયાત નથી તેવી માન્યતા ભૂલ ભરેલી છે જે જાણવું દરેક કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે