નડિયાદ ટેક્ષ વ્યવસાયી એસોસિએશન દ્વારા કરવેરામાં આવેલ સુધારાની સમજ અંગે સેમિનાર યોજાયો

Reading Time: < 1 minute
તા. 30.06.2025: ધ ટેક્ષ પ્રેક્ટિશનરસ એસોસિએશન નડિયાદ અને વિવિધ વેપારી મંડળ ના સંયુક્ત ઉપક્રમે કરવેરા માં આવેલ નવા સુધારા અંગે સેમિનાર નુ આયોજન હોટલ ટીજીસી, નડિયાદ ખાતે યોજાયો. જેમાં ઈન્ક્મ ટેક્ષ કાયદા અન્વયે ના સુધારા માટે સીએ મુંજાલભાઈ મોદી અને જીએસટી કાયદા અન્વયે પ્રમુખશ્રી પ્રેમલભાઈ શાહ ઘ્વારા ખુબ સરળ અને ઉમદા ભાષા માં વક્તવ્ય આપેલ.
આ કાર્યક્રમ માં પ્રમુખશ્રી પ્રેમલભાઈ શાહ, મંત્રી દિવ્યેશભાઈ જોટાણીયા, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યો,ટેક્ષ વ્યવસાયિઓ અને સહયોગી વેપારીમંડળ ના પ્રતિનિધિઓ અને સભ્યો મોટી સંખ્યામાં અંદાજિત ઉપસ્થિત રહીને ૧૬૦ જેટલા કરદાતાઓ એ લાભ લીધેલ. અમિત સોની, ટેક્સ ટુડે