સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના, Dt 15.10.2024

0
Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ મમરાના વેપારી છે. તેઓ કમોદ (ડાંગર) ની ખરીદી કરી તેમાથી મમરા બનાવી બ્રાન્ડ વાળા 200 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામના પેકિંગમાં અને લુઝ બ્રાન્ડ વગર 10 કિલો, 20 કિલો, 30 કિલો જેવા પેકિંગમાં વેચાણ કરે છે. અમો, પેકિંગ વાળા વેચાણ ઉપર 5% જી.એસ.ટી. ઉઘરવીએ છીએ. અમે લુઝ મમરાનું વેચાણ કરમુક્ત કરીએ છીએ. અમારા વેચાણ ઉપર 190410 HSN નો વપરાશ થાય છે.                                                                                                                                                                                                                      રાકેશ ધોરાજીયા,

જવાબ: મમરા લુઝમાં કોઈ લેબલ વગર વેચાણ કરવામાં આવે તો કરમુક્ત બને અને જો બ્રાન્ડ સાથે પેકિંગમાં વેચાણ કરવામાં આવે તો 25 કિલો કે તેથી નીચેના પેકિંગ ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડશે જ્યારે 25 કિલો ઉપરના પેકિંગ ઉપર કોઈ જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ છે. 10.10.2024 થી મેટલ સ્ક્રેપ ઉપર RCM ભરવાની જવાબદારી લાગુ કરવામાં આવી છે. શું અમારા આ અસીલ ઉપર સોના ચાંદીના ઘરેણાં, ફાઇન ગોલ્ડ ખરીદી કરે તો તેમના પર પણ શું RCM ભરવાની જવાબદારી આવશે?                                                                                                                                                                                                જિગર વોરા, એડવોકેટ, રાજકોટ

જવાબ: ના, સોનાના દાગીના નો HSN કોડ 71 થી શરૂ થાય છે. સેંટરલ ટેક્સ નોટિફિકેશન 06/2024 (રેઇટ) મુજબ HSN 72 થી 81 હેઠળના મેટલ સ્ક્રેપ ઉપર RCM ની જવાબદારી ઉપસ્થિત થાય છે તેવો અમારો મત છે. આમ, સોના ચાંદીના ઘરેણાં કે ફાઇન ગોલ્ડની ખરીદી ઉપર RCM ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલના એક પ્રોફેશનલ છે અને ધંધાકીય હિસાબ ટેલિ સૉફ્ટવેર ઉપર લખવામાં આવે છે. તેઓના નાણાકીય વર્ષ 2023 24 નું ટર્નઓવર 80 લાખનું હતું. તેઓનો ડેટા ખરાબ થઈ જવાના કારણે એકાઉન્ટ ફરી લખવું પડ્યું હતું. તેઓનું ઓડિટ નિયત તારીખ 07.10.2024 પછી થયું છે. શું ઓડિટ મોડુ કરાવવા પેનલ્ટી લાગે?                                                                                                     સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: હા, 07.10.2024 બાદ ઓડિટ અપલોડ કરવામાં આવે તથા સ્વીકારવામાં આવે તો ઇન્કમ ટેક્સ કાયદા ની કલામ 271B હેઠળ પેનલ્ટી લાગુ થઈ શકે છે. તેવો અમારો મત છે. પરંતુ આ પેનલ્ટી સામે યોગ્ય કારણ દર્શાવી આ પેનલ્ટી દૂર કરવા રજૂઆત થઈ શકે છે. હા, આ પ્રકારે ઓડિટ મોડુ થયું હોય તેની પેનલ્ટી બહુ જૂજ કેસોમાં પ્રેક્ટિકલી લાગી છે.


  1. અમારા અસીલને એમના મિત્ર દ્વારા વ્યાજ વગરની લોન આપવામાં આવેલ છે. આ લોન ઘણા લાંબા સમય માટે છે. શું આ લોન ઉપર કોઈ ઇન્કમ ટેક્સની જવાબદારી આવે?                                                                                                                                             સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: ના, આપના અસીલને જે લોન મળી છે તે લાંબા સમય માટે હોય તો પણ ઇન્કમ ટેક્સની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. હા, આ લોન ફરી ચૂકવવાની નથી તેવું સાબિત થાય તો તે રકમ ઉપર ઇન્કમ ટેક્સની જવાબદારી આવી શકે છે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટ ધરાવે છે. આ ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાં વાર્ષિક ધોરણે કેટલી રકમ નાખી શકાય તે અંગે કોઈ મર્યાદા ઇન્કમ ટેક્સ કાયદામાં સૂચવેલ છે?

જવાબ: ના, ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાં કેટલી રકમ નાંખી શક્ય તે અંગે કોઈ મર્યાદા ઇન્કમ ટેક્સ કાયદામાં આપવામાં આવેલ નથી તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108