સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 02.03.2024

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલને જી.એસ.ટી કાયદા હેઠળ DRC 07 નો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશમાં 100% પેનલ્ટી લગાડવામાં આવી છે. જી.એસ.ટી. હેઠળ કલમ 74(11) હેઠળ આદેશના 30 દિવસમાં રકમ ભરી 50% પેનલ્ટી લાગે તેવી જોગવાઈ છે. તો આ આદેશમાં દર્શાવેલ 100% પેનલ્ટી ભરવાની રહે કે જોગવાઈ મુજબ માત્ર 50% પેનલ્ટી ભરવાની રહે?                                                          જે.વી. પટેલ & , જેતપુર  

જવાબ: DRC 07 માં આદેશ કરવામાં આવ્યો હોય અને આ આદેશના 30 દિવસમાં જો ટેક્સ અને વ્યાજની રકમ ભરી આપવામાં આવે તો 100% નહીં પરંતુ 50% રકમ જ પેનલ્ટી સ્વરૂપે ભરવાની આવે અને આ 50% રકમ ભર્યા બાદ અધિકારીને આ અંગે લેખિત જાણ કરવી જોઈએ જેથી આ 50% પેનલ્ટીની રકમ “વેઇવ” કરવાની થાય તેવો અમારો મત છે.


  1. જી.એસ.ટી. કાયદા હેઠળ શું ઓનલાઈન અપીલ દાખલ કર્યા બાદ અપીલ ફોર્મ તથા દરેક પુરાવા ડે. કમિશ્નર અપીલને “ફિઝીકલી” પહોચડવા જરૂરી છે?                                                                                                                                                                            જિગ્નેશ દેત્રોજા

જવાબ: હા, જી.એસ.ટી. કાયદા હેઠળ અપીલ ઓનલાઈન દાખલ કર્યા પછી અપીલ ફોર્મ ડે. કમિશ્નરશ્રીને “ફીઝીકલ” માં 7 દિવસમાં મોકલવું ફરજિયાત છે. ઓનલાઈન અપલોડ કર્યા હોય તે પુરાવા “ફીઝીકલ” મોકલવા જરૂરી નથી તેવો અમારો મત છે.


  1.  અમારા અસીલ મ્યુનિસિપાલિટી છે. ટૂંક સમયમાં તેઓ મુનિસિપલ કોર્પોરેશનમાં તબદીલ થવા જઇ રહ્યા છે. શું જી.એસ.ટી. કાયદા હેઠળ જૂનો નંબર રદ્દ કરી નવો નંબર લેવો જોઈશે?                                                                                                                                 જિગ્નેશ દેત્રોજા

જવાબ: ના, જી.એસ.ટી. કાયદા હેઠળ નવો નોંધણી નંબર તો જ લેવાનો થાય જો PAN બદલવામાં આવે. તમારા કેસમાં મ્યુનિસિપાલિટીમાંથી, કોર્પોરેશન થવાથી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળના “સ્ટેટ્સ” માં કોઈ ફેરફાર આવતો ના હોય, PAN બદલવો જરૂરી ના હોય, જી.એસ.ટી. નંબર બદલવાની જરૂર રહે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!