સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 06.04.2024

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. કોઈ ઇ કોમર્સ ઓપરેટર જેઓ “સર્વિસ અગરિગેટર” છે તેઓ જ્યારે સર્વિસ પ્રોવાઇડર અનરજીસ્ટર્ડ હોય ત્યારે કોઈ સેવા પૂરી પડે ત્યારે તેઓએ વેચાણની કુલ રકમ ઉપર તો જી.એસ.ટી. વસૂલ કરેલ હોય પરંતુ જે કમિશન વેચનાર પાસેથી લીધેલ હોય તેના પર લીધેલ હોય તેના પર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                                                      મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, ઇ કોમર્સ ઓપરેટર દ્વારા વેચનાર પાસેથી જે કમિશન લેવામાં આવે તેના ઉપર પણ જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


 

  1. કોઈ કરદાતાની ખરીદી “ઇન્ટર સ્ટેટ” હોય અને વેચાણ “લોકલ” જ હોય તેવા સંજોગોમાં શું તેઓ કંપોઝીશન સ્કીમનો લાભ મળી શકે. શું “સપ્લાય” ની વ્યાખ્યામાં ખરીદનો પણ સમાવેશ થાય?                                                                                વિરલ જે જડવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, કરદાતા ઇન્ટર સ્ટેટ ખરીદી કરતાં હોય પરંતુ લોકલ જ વેચાણ કરતાં હોય તો કંપોશીશન સ્કીમનો લાભ મળે તેવો અમારો મત છે.


 

  1. અમારા અસીલ ડોક્ટર છે અને માત્ર “હેલ્થ કેર સર્વિસ” પૂરી પાડે છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવતા નથી. હવે તેઓ કમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માંગે છે. આવા સંજોગમાં જી.એસ.ટી. ની જવાબદારી આવે કે નહીં? જો આવે તો કંપોઝીશનનો (.5%+.05%) નો વિકલ્પ મળી શકે?                                                                                                                                                                          જીતેશ વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, આપના અસીલનું ટર્નઓવર જો 20 લાખથી વધુ (હેલ્થકેર + કમર્શિયલ પ્રોપેર્ટીનું ભાડું) થતું હોય તો જી.એસ.ટી. ની જવાબદારી આવે. તેઓ કંપોઝીશન હેઠળ 0.5% નહીં પરંતુ 3% + 3% જી.એસ.ટી. ભરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.


  1. અમારા અસીલ “ઇનવરટેડ રેઇટ” હેઠળ પડે છે અને રિફંડ માટે હક્કદાર છે. ઓગસ્ટ 2021 થી ઓક્ટોબર 2021 નું રિફંડ મેળવવા અરજી કરેલ છે. શું આ સમય માટે 01 માર્ચ 2024 ના રોજ અરજી કરી શકાય કે આ અરજી ટાઈમ બાર્ડ ગણાય? કોરોના અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા જી.એસ.ટી. નું નોટિફિકેશન ધ્યાને લઈ આ જવાબ આપવા વિનંતી.                                                          કૌશલભાઈ તન્ના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

જવાબ: અમારા મતે ઇનવરટેડ રેઇટ સ્ટ્રક્ચરના રિફંડ માટે ઓગસ્ટ 2021 થી ઓક્ટોબર 2021 ની અરજી 28.02.2024 છેલ્લી મુદત ગણાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.


 

error: Content is protected !!