સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 06th May 2023

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


  1. અમારા અસીલનો જી.એસ.ટી. નંબર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા Suo Motto રદ્દ કરવામાં આવેલ છે. શું અમે GSTR 10 ભરવા જવાબદાર બનીએ? એક વાર અસીલ GSTR 10 ભરે પછી શું કરદાતાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ ગણાય કે ત્યારબાદ પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કોઈ પગલાં લેવામાં આવે?

જવાબ: હા, અધિકારી દ્વારા Suo Motto નોંધણી દાખલો રદ્દ કરેલ હોય ત્યારબાદ GSTR 10 ભરી આપવામાં આવે તો કરદાતાની જવાબદારી પૂર્ણ થઈ ગયેલ ગણાય તેવો અમારો મત છે. જો કે કરદાતાના નોંધણી દાખલો ચાલુ હતો એ દરમ્યાનના વ્યવહારો બાબતે આકારણી, પત્રક ચકાસણી વગેરે માટે તેઓ અન્ય કરદાતાની જેમ જ જવાબદાર બને. પરંતુ આ રીતે Suo Motto રદ્દ થયેલ નંબર બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી.


  1. અમારા અસીલનો જી.એસ.ટી. નંબર જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા Suo Motto રદ્દ કરવામાં આવેલ છે. અમે GSTR 10 પણ ભરી નાંખ્યું છે. હવે આવા સંજોગોમાં હાલ બહાર પાડવામાં આવેલ રિવોકેશન સ્કીમ હેઠળ ફરી અમે રિવોકેશનની અરજી કરી જી.એસ.ટી. નંબર પુનઃજીવીત કરી શકીએ?

જવાબ: હા, GSTR 10 ભરેલ હોય, રિવોકેશન અરજી કરવામાં કોઈ બાધ રહેતો નથી તેવો અમારો મત છે.


  1. અમારા અસીલનો જી.એસ.ટી. નોંધણી દાખલો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા Suo Motto રદ્દ કરવામાં આવેલ છે. અમે GSTR 10 પણ ભરી નાંખ્યું છે. શું ભવિષ્યમાં હવે નવો જી.એસ.ટી. નંબર લેવા સમયે Suo Motto નંબર રદ્દ થયેલ હોય તે અંગે કોઈ બાધ લાગુ પડે?

જવાબ: ના, Suo Motto રદ્દ થયેલ નંબર બાદ GSTR 10 ભરી આપેલ હોય, નંબર રદ્દ હોય તે દરમ્યાન વ્યવહારો ના હોય તો નવા નોંધણી દાખલો મેળવવામાં કાયદાકીય બાધ નડે નહીં તેવો અમારો મત છે. હા, વ્યાવહારિક રીતે અધિકારીઓ આ પ્રકારના નોંધણી દાખલો આપવામાં આનાકાની કરતાં હોય છે તેવા અનુભવો રહ્યા છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!