સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 13.08.2024

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

 

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. અમારા અસીલ સોનાના ખરીદ વેચાણનો ધંધો કરે છે. તેઓની દુકાને ચોરી થવાના કારણે 15 લાખ રોકડા અને 10 લાખના ઘરેણાંનું નુકસાન થયેલ છે. જી.એસ.ટી. હેઠળ શું આની શું અસર થશે?                                                                                                     કોલીપરા સુદરિયા, પોન્નુર

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ રોકડમાં થયેલ નુકસાનની કોઈ અસર આવે નહીં. 10 લાખના ઘરેણાં જે ચોરી થયેલ છે તેની અગાઉ લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપના અસીલ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) હેઠળ રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલને 2019-20 માટે DRC-01 ની 29.05.2024 ના તારીખ વાળી કલમ 73 હેઠળની નોટિસ 13.07.2024 ના રોજ રજિસ્ટર્ડ પોસ્ટથી મળેલ છે. પોર્ટલ ઉપર આ નોટિસ હજુ દર્શાવતી નથી. શું આ નોટિસ ટાઈમ બાર્ડ કહેવાય? જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ, ડીસા

જવાબ: આપના અસીલને ઇ મેઈલ દ્વારા નોટિસ મળી છે કે નહીં તે ચેક કરશો. જો ઇ મેઈલ દ્વારા પણ નોટિસ સમયસર મળી ના હોય તો આ કલમ 73 હેઠળની નોટિસ ટાઈમ બાર્ડ મળી છે તેમ ગણાય તેવો અમારો મત છે.


  1. અમારા અસીલનું 2023 24 નું ટર્નઓવર 5 કરોડથી વધુ થઈ ગયું છે. તેઓની 01.04.2024થી ઇ ઇંવોઇસની જવાબદારી આવે. અત્યાર સુધી તેઓ દ્વારા ઇ ઇંવોઇસ બનાવેલ નથી. તો શું હવે ઇ ઇંવોઇસ બનાવી શકાય કે નહીં? જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, આપના અસીલ હાલ પણ જૂના ઇંવોઇસ ઉપરથી ઇ ઇંવોઇસ બનાવી શકે. આ આકારણી દરમ્યાન આ ઇ ઇંવોઇસ” મોડા બનાવવા બદલ પેનલ્ટીનો પ્રશ્ન ઉદભાવી શકે છે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ સોનાના ખરીદ વેચાણનો ધંધો કરે છે. તેઓની દુકાને ચોરી થવાના કારણે 15 લાખ રોકડા અને 10 લાખના ઘરેણાંનું નુકસાન થયેલ છે. ઇન્કમ ટેક્સ હેઠળ શું આ રકમ ખર્ચ તરીકે બાદ મળશે?                                                                                    કોલીપરા સુદરિયા, પોન્નુર

જવાબ: હા, આ રકમ ખર્ચ તરીકે બાદ મળે. પણ ભવિષ્યમાં આ ચોરીની સામે કોઈ વીમાની રકમ આપના અસીલને મળે તો આ રકમ આવક ગણવાની રહે. અમારા મતે “ક્લેઇમ પ્રોસેસ” માં જે રકમ દર્શાવી છે તે જ રકમ કે અન્ય કોઈ રકમ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મળે તો આ રકમ આવકમાં ઉમેરવાની રહેશે.


  1. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2023 24 નું રિટર્ન 44ADA હેઠળ ભરવામાં આવેલ છે. આ રિટર્નમાં એડ્વાન્સ ટેક્સની રકમ 250000 જેવી ભરવામાં આવી હતી. આ રકમ પૈકી તેઓ દ્વારા 60000/- જેવુ રિફંડ માંગવામાં આવેલ છે. શું સ્કૃટીની ની શક્યતા આ મોટા રિફંડના કારણે રહે?            કોલીપરા સુદરિયા, પોન્નુર

જવાબ: ના, માત્ર 250000/- ના એડ્વાન્સ ટેક્સ માંથી 60000/- જેવી ઇન્કમ ટેક્સની રકમ રિફંડ માંગવાના કારણે ઇન્કમ ટેક્સ હેઠળ સ્કૃટીનીની શક્યતા રહે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!
18108