સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 15.04.2024

0
Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. અમારા અસીલ “રેસિડન્ટ વેલ્ફેર સોસાયટી” છે. તેઓ ફ્લેટ દીઠ 2500 રૂ નું મેઇનટેનન્સ ઉઘરાવે છે. આ મેઇનટેનન્સ અંગેની આવક 33 લાખ જેવી છે જ્યારે ટ્રાન્સફર ફી, પ્રસંગ ભાડું, તહેવારની આવક વગેરે આવક 10 લાખ જેવી છે. શું તેઓએ જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને? જો હા તો શું મેઇનટેનન્સની આવક તથા અન્ય આવક ઉપર જી.એસ.ટી. લાગુ પડે?                                                             બાબુભાઇ ખારેચા, ધંધુકા

જવાબ: હા, આપના અસીલની રિસીપ્ત 20 લાખથી વધુ હોય જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત બને તેવો અમારો મત છે. 2500 લેખે ઉઘરાવવામાં આવેલ મેઇનટેનન્સ ઉપર NIL રેટેડ GST નો લાભ મળે. વધારાની જે 10 લાખની આવક છે તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ એક્સપોર્ટર છે. તેઓ દ્વારા IGST પેઇડ એક્સપોર્ટ કરવામાં આવેલ હતું. આ એક્સપોર્ટ બાબતે તેઓને રિફંડ પણ મળી ગયું હતું. હવે આ એક્સપોર્ટ કરેલ માલ પરત થઈ રહ્યો છે. માલ પરત થવા સમયે અમારી પાસે IGST ઓન ઇમ્પોર્ટ ભરાવવામાં આવ્યો છે. અમારો પ્રશ્ન એ છે કે શું આ ભરવામાં આવેલ IGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમોને મળે? અગાઉ અમોને મળેલ IGST અંગેનું રિફંડ અમારે પરત કરવાનું રહે?  અવિનાશ ધોલરિયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: IGST વિથ પેમેન્ટના વિકલ્પ સાથે કરવામાં આવેલ એક્સપોર્ટ બાબતે રિફંડ મેળવવામાં આવેલ હોય તો જી.એસ.ટી. રિફંડ રિવર્સ કરવાનું રહે નહીં તેવો અમારો મત છે. આપના અસીલ દ્વારા ઇમ્પોર્ટ ઉપર ભરવામાં આવેલ IGST ની ઈન્પુટ મળે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ “રેસિડન્ટ વેલ્ફેર સોસાયટી” છે. તેઓ ફ્લેટ દીઠ 2500 રૂ નું મેઇનટેનન્સ ઉઘરાવે છે. આ મેઇનટેનન્સ અંગેની આવક 33 લાખ જેવી છે જ્યારે ટ્રાન્સફર ફી, પ્રસંગ ભાડું, તહેવારની આવક વગેરે આવક 10 લાખ જેવી છે. ઇન્કમ ટેક્સ હેઠળ તેઓની કેવી જવાબદારી આવે?                                          બાબુભાઇ ખારેચા, ધંધુકા

જવાબ: આપના અસીલ જેઑ “રેસિડંટ વેલ્ફેર સોસાયટી” છે તેઓ ઇન્કમ ટેક્સ હેઠળ AOP ગણાય અને AOP ના સ્લેબ લેખે નફા ઉપર MMR (મેકસીમમ માર્જિનલ રેટ) લેખે ટેક્સ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!