સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 15th October 2022
![](https://taxtoday.co.in/wp-content/uploads/2022/02/Tax-questions-entreprenuers.jpg)
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- GST કલમ 16(4) હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની સમય મર્યાદામાં જે વધારો કર્યો છે તેનો લાભ ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાને Q 3 ના રિટર્ન ભરવામાં મળી શકે?
જવાબ: હા, ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓ પોતાનું સપ્ટેમ્બર 2022 નું રિટર્ન મોડુ ભરે તો તેઓને આ વધારા નો લાભ મળે તેવો અમારો મત છે. પરંતુ આ રિટર્ન મોડુ ભરવાથી લેઇટ ફી ભરવા જવાબદાર બને તેની નોંધ લેવી જરૂરી છે.
- અમારા અસીલ દ્વારા એવા કરદાતાની ખરીદી હોય કે જેઓ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર છે. તેઓ દ્વારા ઇ ઇંવોઇસ બનાવવામાં આવ્યું નથી. તો શું અમારા અસીલ કે જેઓ ખરીદનાર છે તેઓની ક્રેડિટ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે?
જવાબ: હા, જે કરદાતા ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર છે તેઓ જો ઇ ઇંવોઇસ ના બનાવે તો તેઓ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ યોગ્ય ઇંવોઇસ બનાવેલ નથી તેમ ગણાય અને ખરીદનારની ક્રેડિટ બાબતે પ્રશ્નો આવી શકે છે તેવો અમારો મત છે.
- અમારા અસીલકે જેઓએ જી.એસ.ટી હેઠળ માઈગ્રેટ કરેલ હતું, તેઓનું વેટ હેઠળ માંગણું બાકી છે. શું માત્ર માઈગ્રેટ થયેલ હોય તેના કારણે તેઓને ગુજરાત રાજ્યની વેરા માફી યોજનાનો લાભ ના મળે?
જવાબ: હા, હાલની પરિસ્થિતીએ તો આ યોજનાની શરતો વાંચતાં જે કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ માઈગ્રેટ થયેલ હોય તેઓને આ ગુજરાત રાજ્યની વેરા માફી યોજનાનો લાભ ના મળી શકે તેવો અમારો મત છે. પરંતુ આ અંગે વિવિધ સંગઠનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવેલ હોવાના સમાચાર છે, જે ધ્યાને લઈ સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે.
ઇન્કમ ટેક્સ
- અમો ગ્રાહકોને વેચાણ કરીએ છીએ. અમે રોકડ વેચાણ બિલ કઈ રકમ સુધીનું બનાવી શકીએ?
જવાબ: ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ વેચનાર વેપારી 1,99,999/- સુધીનું વેચાણ બિલ રોકડમાં બનાવી શકે છે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.