સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)10th December 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ 

  1. અમારા અસીલ 12 લાખની વ્યાજની આવક ધરાવે છે. તેઓ આ ઉપરાંત 12 લાખ જેવી દુકાન ભાડાની આવક ધરાવે છે. શું તેઓ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવા જવાબદાર બને?                                                                                                                 જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ:આ વિષય ઉપર નિર્ણય કરતાં સમયે ગુજરાત એડ્વાન્સ રૂલિંગ ઓથોરીટી નું AAR શ્રી સવાઇ મનોહરલાલ રાઠી (Ruling No.  Guj/GAAR/R/2020/10, dt 19th May 2020) જોઈ જવા વિનંતી. આ AAR મુજબ આપના અસીલ 12 લાખ જેવી વ્યાજની આવક ધરાવતા હોય તો તે આવક પણ એગ્રીગેટ ટર્નઓવરનો ભાગ ગણાય તેવું ઠરાવવામાં આવ્યું છે. જો કે અમારા મતે આ વ્યાજની આવક એ રોકાણ ઉપરની આવક ગણાય અને એગ્રીગેટ ટર્નઓવરનો ભાગ ગણાય નહીં. અમારા મતે આપના અસીલની ઉપરની આવક સંદર્ભે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવાની જવાબદારી આવે નહીં. આ બાબતે અસીલને વિશ્વાસમાં લઈ પરિસ્થિતી સમજાવી જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવું કે ના લેવું તે અંગે નિર્ણય કરવો જોઈએ તેવો અમારો મત છે.  

  1. અમારા અસીલનું એપ્રિલ 2017 થી માર્ચ 2022 સુધીના વર્ષોમાં વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી નીચું હતું. હવે ચાલુ વર્ષે એટ્લે કે નાણાકીય વર્ષ 2022 23 માં તેઓનું ટર્નઓવર 5 કરોડથી વધુ થયું છે. શું આ સંજોગોમાં તેઓ 01.01.2023 થી ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બને?                                                                                                                                                                            નિલેષ લાખાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કોડીનાર

જવાબ: હાલ, 5 કરોડના ટર્નઓવરથી  વધુ ટર્નઓવર કરતાં કરદાતા mate ઇ ઇંવોઇસની કોઈ જોગવાઈ લાગુ થયેલ નથી. પરંતુ જે તે વર્ષમાં ઇ ઇંવોઇસ મતે માન્ય ટર્નઓવર વધી જાય ત્યારે પણ કરદાતા તે પછીના વર્ષની શરૂઆતથી ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બને છે.

 

  1. અમારા અસીલ સ્થાવર મિલ્કત તોડવા (ડિમોલિશ કરવા) સંદર્ભે સેવાઓ પૂરી પાડે છે. તેઓ પાસે હાલ ગુજરાત રાજ્યમાં જી.એસ.ટી. નંબર છે. હવે તેઓને ઉત્તર પ્રદેશ ખાતે મિલ્કત ડિમોલિશ કરવાનું કામ મળેલ છે. શું તેઓ ગુજરાતના જી.એસ.ટી. ઉપર IGST ઉઘરવી બિલ બનાવી શકે? મારા મતે તેઓએ ઉત્તર પ્રદેશમાં નવો જી.એસ.ટી. લેવો જોઈએ. આપનો અભિપ્રાય આપવા વિનંતી.                                            CA સંજય જૈન

જવાબ: કોઈ પણ સ્થાવર મિલ્કત સંદર્ભે પ્લેસ ઓફ સપ્લાય એ જે તે સ્થાવર મિલ્કતની જગ્યા ગણવામાં આવે છે. આમ, આપના અસીલના કિસ્સામાં જ્યારે તેઓ સ્થાવર મિલ્કત ડિમોલિશ કરવાનો કોન્ટ્રાક્ટ ઉત્તર પ્રદેશમાં સ્થિત મિલ્કત સંદર્ભે હોય ત્યારે પ્લેસ ઓફ સપ્લાય ઉત્તર પ્રદેશ બને છે. જો આપના અસીલ પાસે ઉત્તર પ્રદેશમાં ધંધાનું સ્થાયી સ્થળ હોય તો તેઓ ઉત્તર પ્રદેશમાં જી.એસ.ટી. દાખલો મેળવી શકે. તેઓ દ્વારા ઉત્તર પ્રદેશમાં જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવેલ હોય તેવા સંજોગોમાં તેઓ આ વ્યવહાર સંદર્ભે ખરીદીઓ તથા ઈન્પુટ સર્વિસની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે છે. પરંતુ તેઓ ઉત્તર પ્રદેશમાં ધંધાનું સ્થાયી સ્થળ ધરાવતા ના હોય તો તેઓ ગુજરાતના જી.એસ.ટી. નંબર પરથી IGST સાથેનું બિલ આપી શકે છે તેવો અમારો મત છે.   


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ સહકારી મંડળી છે. તેઓના આકારણી વર્ષ 2020 21 ના ઇન્કમ ટેક્સ રિટર્નમાં 161000/- ની આવક દર્શાવવામાં આવેલ છે. આ આવક સામે સહકારી મંડળીને મળતી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80P ની કપાત બાદ માંગેલ છે. પરંતુ ઇન્કમ ટેક્સ હેઠળ 143(1) હેઠળ તથા 154 હેઠળના આદેશમાં આ કપાત બાદ આપવામાં આવેલ નથી. હવે તેઓની પાસે શું વિકલ્પ રહે? નિમેષ પારેખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: સહકારી મંડળીના કિસ્સામાં સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80 P ની શરતો પૂર્ણ કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં કપાત મળવી જોઈએ. આ કપાત શું કરવામાં નથી આપવામાં આવી તે બાબતે ઇન્કમ ટેક્સ હેઠળના સેક્શન 154 ના ઓર્ડરના કારણ જોવાના રહે. આ કારણ જોઈ તેની ત્રુટિ દૂર કરી ફરી રેકટીફીકેશન અરજી કરવાની રહે તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!