સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd August 2021

Expert
Spread the love
Reading Time: 2 minutes [speaker]

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી

1. જી.એસ.ટી. હેઠળ સોનાના દાગીનાની મજૂરી ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે પરંતુ HSN કોડ શું લાગુ પડે?                 એક વેપારી, અમરેલી

જવાબ: જી.એસ.ટી. હેઠળ સોનાના દાગીનાની મજૂરી ઉપર HSN 998892 લાગુ પડે તેવો અમારો મત છે.

2. અમો સોનાના દાગીના હોલમાર્ક કરી વેચાણ કરીએ છીએ. આ વેચાણમાં સોનું, મજૂરી ઉપરાંત હોલમાર્કિંગ ચાર્જ પણ ગ્રાહક પાસેથી ઉઘરાવતા હોઈએ છીએ. અમારો પ્રશ્ન એ છે કે જ્યારે આ વ્યવહાર ઉપર સોનામાં 3% જી.એસ.ટી., મજૂરી માં 5% અને હોલમાર્કિંગ ચાર્જ ઉપર 18% એમ જી.એસ.ટી. ભરવા જવાબદારી આવે કે સંપૂર્ણ રકમ ઉપર 3% જી.એસ.ટી. લાગુ પડે?                                                          એક વેપારી, ઉના

જવાબ: સોનાના દાગીનાનું વેચાણ કરવા સમયે જ્યારે મજૂરી તથા હોલમાર્કિંગ સાથેનું બિલ બનાવવામાં આવે ત્યારે આ “કંપોઝીટ સપ્લાય” ગણાય અને સંપૂર્ણ રકમ ઉપર 3% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. 

3. અમો વર્કસ કોન્ટ્રાકટર છીએ. અમારી ટેક્સ જવાબદારી નિભાવવા અમો PWD જેવી સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવતા રનિંગ બિલ ઉપર જ આધાર રાખીએ છીએ. અમો કોઈ ટેક્સ ઇંવોઇસ જનરેટ કરતાં નથી. અમારા વકીલનું કહેવું છે કે ટેક્સ ઇંવોઇસ આપવું જરૂરી છે. શું PWD દ્વારા આપવામાં આવતા રનિંગ બિલ ઉપરાંત “ટેક્સ ઇન્વોઇસ બનાવવું ફરજિયાત રહે?                                                                               એક વેપારી, ઉના

જવાબ: હા, જી.એસ.ટી. કાયદા હેઠળ “ટેક્સ ઇન્વોઇસ” બનાવવું ફરજિયાત છે. માત્ર રનિંગ બિલ ઉપરથી જી.એસ.ટી. રિટર્ન ભરવું યોગ્ય નથી.                                               

:ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

  કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!