સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 02nd December 2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ 2021 22 ની 10000/- જેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નાણાકીય વર્ષ 2022 23 માં લેવામાં આવી હતી. પરંતુ નાણાકીય વર્ષ 2021 22 ના GSTR 9 ભરવામાં આ રકમ ટેબલ 8C માં દર્શાવતા રહી ગઈ હતી. શું આ કારણે હવે નાણાકીય વર્ષ 2022 23 ના વાર્ષિક રિટર્નમાં અમારે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સલમાં દર્શાવવી જોઈએ?                                                         મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: આપના અસીલ દ્વારા નાણાકીય વર્ષના 3Bમાં જો યોગ્ય રીતે દર્શાવી હોય ત્યારે માત્ર GSTR 9 માં થયેલ શરતચૂક માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરાઇ નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ TVS કંપનીની એજન્સી ધરાવે છે. તેઓનું કુલ ટર્નઓવર 20 લાખ જેવુ છે જેમાં 3 લાખની સેવાનો સમાવેશ થાય છે. અમારો પ્રશ્નએ છે કે શું તેઓ જી.એસ.ટી. કાયદાની કલમ 10(1)c હેઠળ કંપોઝીશન સ્કીમનો લાભ લેવા હક્કદાર બને? જો બને તો સેવાની રકમ ઉપર જી.એસ.ટી. નો દાર 1% જ લાગે કે 6%?                                    મંથન સરવૈયા ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, આપના અસીલ 10(1)c હેઠળ કંપોઝીશનનો લાભ લઈ શકે છે. આ કલમ હેઠળની મર્યાદા કુલ ટર્નઓવરના 10% અથવા 5 લાખ બે માંથી જે વધુ હોય તે ગણવાનું રહે છે. આપના અસીલના કિસ્સામાં 3 લાખની જ સેવા પૂરી પડતાં હોય અને મુખ્યત્વે ધંધો વેપારનો હોય તો સેવાના ટર્નઓવર ઉપર પણ 1% જ જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હતા. તેઓનું નાણાકીય વર્ષ 2018 19 માં ટર્નઓવર નિયત મર્યાદાથી 46000/- જેટલું વધી ગયું છે. શું આ 46000 ની રકમ ઉપર તેઓએ નિયમિત દરે જી.એસ.ટી. ભરવાનો રહે? ત્યાર પછીના એટલેકે 2019 20 ના વર્ષમાં જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનની પરવાનગી ચાલુ રહે?                            ભાવિક જડવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, નાણાકીય વર્ષ 2018 19 માટે 46000/- ની નિયત મર્યાદાથી વધુની રકમ ઉપર રેગ્યુલર દરે જી.એસ.ટી. ભરવાનો રહે. ત્યાર પછીના એટલેકે 2019 20 ના વર્ષમાં જી.એસ.ટી. હેઠળની કંપોઝીશન પરવાનગી ચાલુ રહે નહીં પણ રેગ્યુલર દરે જી.એસ.ટી. ભરવાનો રહે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!