સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Date : 23.09.2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

_____________________________________________________________________________________

  Goods & Services Tax

  1. અમારા અસીલના 26AS માં 94R તરીકે TDS દર્શાવે છે. આ રકમ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? શું આવે તો આ રકમ અંગે B2B માં બીલ દર્શાવવાનું રહે? જી.એસ.ટી. ક્યાં દરે લાગુ પડે?                                                                                         નિલેષભાઈ લાખાણી, કોડીનાર

જવાબ: હા, ઇન્કમ ટેક્સ હેઠળ 94R તરીકે જે રકમ દર્શાવેલ છે તે રોકડ સિવાય અન્ય સ્વરૂપે આપવામાં આવેલ સવલતો બાબતે છે. આ રકમ ઇન્સેંટિવ પ્રકારની ગણી તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. આ વ્યવહારને B2B ઇંવોઇસ બનાવી જે કંપની દ્વારા આ TDS કરવામાં આવ્યો હોય તેના નામનું B2B બિલ બનાવવું જોઈએ. જી.એસ.ટી. એ સન્યા સેવા પ્રકાર ગણી 18% લાગુ પડે તેવો અમારો મત છે.  

 2. અમારા અસીલ એક જ PAN ઉપર બે જી.એસ.ટી. નોંધણી ધરાવે છે. શું તેઓ પોતાના એક જી.એસ.ટી. નોંધણી દાખલા ઉપરથી અન્ય નોંધણી દાખલામાં સ્ટોક ટ્રાન્સફર દ્વારા જી.એસ.ટી. ભર્યા વગર વ્યવહાર કરી શકે?                                                                      રૂપેશ મહેતા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, એક જ PAN ઉપર લેવામાં આવેલ બે અલગ અલગ નંબર “ડીસ્ટિંક્ટ પર્સન” ગણાય અને એક બીજા સાથે વ્યવહારો સ્ટોક ટ્રાન્સફર ના ગણાતા વેચાણ જ ગણાય તેવો અમારો મત છે. આ વ્યવહાર ઉપર સામાન્ય દરે જ જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

 3. અમારા અસીલનો જી.એસ.ટી. નંબર ઓગસ્ટમાં આવેલ છે. તેઓનું ટર્નઓવર સપ્ટેમ્બર મહિનામાં 5 કરોડથી ઉપર થઈ ગયું છે. પ્રશ્ન એ છે કે ઇ ઇંવોઇસનો નિયમ આ વર્ષથી લાગુ પડે કે આવતા વર્ષથી?                                                                                                        નિમેષ પરિખ, જુનાગઢ

જવાબ; ના, આપના અસીલનું ટર્નઓવર 5 કરોડથી જે નાણાકીય વર્ષમાં વધ્યું હોય તેના પછીના નાણાકીય વર્ષથી ઇ ઇંવોઇસ બનાવવા ફરજિયાત બની જાય છે.

4. અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓ ગવર્નમેંટના ટેન્ડર ભરી તેના કોન્ટ્રાક્ટનું કામ કરે છે. આ કામોમાં સરકાર દ્વારા TDS (જી.એસ.ટી) કાપવામાં આવે છે. શું કંપોઝીશનના કામોમાં પણ TDS કપવો ફરજિયાત છે?                                                        નિમેષ પરિખ, જુનાગઢ

જવાબ: હા, જી.એસ.ટી. TDS કાપવાની જવાબદારી તમામ નોંધાયેલ વ્યક્તિઓ’માટે લાગુ પડે તેવો અમારો મત છે.

ખાસ નોંધ 

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!