નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ ના ગીર સોમનાથ જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા

Spread the love
Reading Time: < 1 minute

તા :- 11/12/2018: નેશનલ એકશન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેસનલ્સ દ્વારા એક જુંબેશ ચાલુ કરવા માં આવી હતી. આ જુંબેશ માં પોસ્ટકાર્ડ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને GST અંગેની મુશ્કેલી ઑ વેપારીઓ દ્વારા જણાવવા માં આવી હતી. પોસ્ટકાર્ડ માં વેપારીઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ટેક્સ એડ્વોકેટ, CA કે ટેક્સ પ્રેકટીશ્નર જમીની સ્તરે અમને માહિતી આપવા ખૂબ જરૂરી ભૂમિકા નિભાવે છે.  ગઇકાલે  ગીર સોમનાથ જીલ્લામાંથી અંદાજે 500 જેટલા પોસ્ટકાર્ડ માનનીય પ્રધાનમંત્રી ને  પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગીર સોમનાથ ના NAC ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર હરીશભાઈ સવજિયાણી દ્વારા આ જુંબેશ ને સફળ બનાવવા તમામ ટેક્સ પ્રેકટીશ્નર મિત્રો નો આભાર પ્રકટ કર્યો હતો.  બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!