સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 03 ફેબ્રુઆરી 2020

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

Spread the love
Reading Time: 2 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -03rd  ફેબ્રુઆરી 2020

જી.એસ.ટી.

 

  1. અમારા અસીલ એક પ્રાઈવેટ ઇન્સ્યુરન્સ કંપની ના એજન્ટ છે. તેઓને લાઈફ ઈન્સ્યોરન્સ ની સેવા આપવા બદલ જે કમિશન ચૂકવવામાં આવે છે તેમાથી જી.એસ.ટી. ની રકમ કાપવામાં આવે છે. અમારા મત મુજબ ઈન્સ્યોરન્સ એજન્ટ ની સેવાઓ RCM હેઠળ આવે અને આ કમિશન ઉપર RCM મુજબ કંપનીએ વેરો ભરવાનો રહે. આ અંગે આપનો મંતવ્ય જણાવવા વિનંતી.                                                                                                                                                                          હરીશ સવજીયાણી, વેરાવળ

જવાબ: લાઈફ ઇન્સ્યુરન્સ કમિશન ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી જી.એસ.તી. કાયદા ની કલમ 9(3) હેઠળ ઈન્સ્યોરન્સ કંપની ની આવે. ઈન્સ્યોરન્સ એજન્ટ પાસેથી કોઈ રકમ કંપનીએ ચાર્જ કરવાની રહે નહીં.

 

  1. અમારા અસીલ કેરોસીન ના વેપારી છે. તેઓ કેરોસીન ની ખરીદી કરી ફરી વેચનાર નો ધંધો કરે છે. તેઓ ને ધંધાકિયા પ્રવૃતિ દરમ્યાન થોડું કેરોસીનમાં “નેચરલ કોર્સમાં” ઘટ આવે છે. શું આ સામાન્ય ઘટ બદલ તેઓએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની રહે?

                                                                                                                                                                   અમિત સંઘવી, જુનાગઢ

જવાબ:ના, અમારા મતે સામાન્ય સંજોગો માં સામાન્ય પ્રમાણમા થતી ઘટ માટે ઈન્પુટ ઘટાડવી ના પડે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!