સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt. 16.06.2025

0
Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Goods & Services Tax

  1. અમારા અસીલ દ્વારા 2022 માં ધંધો શરૂ કરી જી.એસ.ટી. નંબર લેવામાં આવેલ હતો. હવે 2025 માં તેઓએ જી.એસ.ટી. નંબર કેન્સલ કરાવ્યો છે. જી.એસ.ટી. નંબર રદ્દ થવા સમયે સ્ટોકમાં રહેલ માલ સંદર્ભે તથા કેપિટલ ગુડ્સ સંદર્ભે ટેક્સ ભરી આપેલ છે. શું આમ છતાં કેપિટલ ગુડ્સ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (5 વર્ષની મર્યાદામાં) રિવર્સ કરવી જરૂરી બને?                                                                 જે.વી. પટેલ એન્ડ કું, જેતપુર

જવાબ:  ના, કલમ 29(5) હેઠળ કરદાતાએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે આઉટપુટ ટેક્સ બે માંથી જે વધુ હોય તે ભરવાંપાત્ર બ


ને. આમ, જો આપના અસીલ દ્વારા કેપિટલ ગુડ્સ ઉપર ભરવામાં આવેલ આઉટપુટ ટેક્સ તે રિવર્સ કરવા પાત્ર ક્રેડિટ થી વધુ હોય તો આપના અસીલની કેપિટલ ગુડ્સ ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.


Income Tax

  1. અમારા અસીલ અત્યાર સુધી ધંધાકીય આવક હોવાથી ITR 4 ફાઇલ કરતાં હતા. હવે નાણાકીય વર્ષ 2024 25 માં કેપિટલ ગેઇન પણ સાથે હોય તેઓ ITR 3 ભારવપાત્ર બનશે. શું ITR 3 ભરવાના કારણે તેઓએ ધંધાકીય ચોપડા ફરજિયાત બનાવવા જરૂરી બને?                            નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, ઇન્કમ ટેક્સ હેઠળ ધંધાકીય ચોપડા બનાવવા પડે કે નહીં તે ધંધાકીય આવક કેવી આને કેટલી છે તેના ઉપર નિર્ભર રહે નહીં કે ક્યાં ITR ભરવાપાત્ર છે તેના ઉપર. આપના અસીલ અંદાજિત આવક યોજના (પ્રિસંપટિવ ટેક્સેશન) દર્શાવી ધંધાકીય આવક દર્શાવતા હોય તો ITR 3 ભરવાનું હોવા છતાં તેઓ ચોપડા નિભાવવા જવાબદાર બને નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!