અમીત સોનીની ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં ટ્રેઝરર પદે નિયુક્તિ કરાઈ…
Reading Time: < 1 minute

અમિતભાઈ સોનીની ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત માં વર્ષ 2025-26 માટે ટ્રેઝરર પદે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી, આ સમાચારથી માદરે વતન નડિયાદ સહિત સમગ્ર ગુજરાતમાં વકીલ આલમ અને વેપારી વર્ગમાં હર્ષની લાગણી અને અભિનંદનનો પ્રવાહ નિરંતર ચાલુ છે. અત્રે ઉલ્લેખની છે કે નડિયાદના ખ્યાતના ટેક્સ એડવોકેટ અમિતભાઈ સોની વિવિધ વકીલ મંડળ ઉપરાંત કેટલીય સામાજિક અને સેવાભાવી સંસ્થામાં નિરંતર સતત વર્ષોથી સેવા આપી રહ્યા છે. અમિતભાઈ સોની વ્યવસાય વકીલ હોવા ઉપરાંત ટેક્ષ ટુડે ન્યૂઝ પેપરમાં પણ અવાર નવાર તેઓના કરવેરા વિષય પર લેખ પ્રસિદ્ધ થાય છે.
– હર્ષદકુમાર વી ઓઝા (ઉત્તર ગુજરાત ઝોન)
ટેક્ષ એડવોકેટ એન્ડ નોટરી
