જી.એસ.ટી. હેઠળ રિવોકેશનની અરજી બાબતે કરવામાં આવ્યો મહત્વનો ખુલાસો

Spread the love
Reading Time: 2 minutes

રિવોકેશન બાબતે અપીલ તબક્કે પેન્ડિંગ હોય તેવા તથા અપીલ રિજેક્ટ થઈ હોય તેવા કેસોને પણ પડશે લાગુ

તા. 07.09.2021: જી.એસ.ટી. હેઠળ એવા કરદાતા કે જેઓનો જી.એસ.ટી. નંબર અધિકારી દ્વારા રદ્દ કરી નાંખવામાં આવ્યો હોય અને જેની સામે રિવોકેશન અરજી કરવાની મુદત 01 માર્ચ 2021 થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં પડતી થતી હોય તેવા કેસો માટે રિવોકેશનની અરજી કરવાની મુદતમાં 30 સપ્ટેમ્બર સુધીનો  વધારો કરવામાં  આવ્યો છે. આ અંગે સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા નોટિફીકેશન 34/2021, તા. 29.08.2021 બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફીકેશનના અર્થઘટન બાબતે મહત્વનો સર્ક્યુલર હવે બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ ખુલાસો કરવામાં આવ્યો છે કે આ વધારાની મુદતનો લાભ નીચેના તમામ કેસોને મળશે.

  • જે કિસ્સાઑમાં નોંધણી દાખલો અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યો હોય અને કરદાતા દ્વારા રિવોકેશનની અરજી કરવામાં જ ના આવેલ હોય,
  • જે કિસ્સામાં ઑમાં નોંધણી દાખલો અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યો હોય અને કરદાતા દ્વારા રિવોકેશનની અરજી કરવામાં આવેલ હોય જે અંગે નિર્ણય લેવાનો બાકી હોય,
  • જે કિસ્સાઑમાં નોધાની દાખલો અધિકારી દ્વારા રદ કર્યા બાદ, કરદાતા એ રિવોકેશન અરજી કરવામાં આવી હોય જે રદ્દ કરવામાં આવી હોય અને કરદાતા દ્વારા આ સામે અપીલ ના કરવામાં આવી હોય.
  • જે કિસ્સાઑમાં નોધાની દાખલો અધિકારી દ્વારા રદ કર્યા બાદ, કરદાતા એ રિવોકેશન અરજી કરવામાં આવી હોય જે રદ્દ કરવામાં આવી હોય અને કરદાતા દ્વારા આ સામે અપીલ કરવામાં આવી હોય જેનો નિર્ણય બાકી હોય.
  • જે કિસ્સાઑમાં નોધાની દાખલો અધિકારી દ્વારા રદ કર્યા બાદ, કરદાતા એ રિવોકેશન અરજી કરવામાં આવી હોય જે રદ્દ કરવામાં આવી હોય અને કરદાતા દ્વારા આ સામે અપીલ કરવામાં આવી હોય જેનો નિર્ણય કરદાતા વિરુદ્ધ કરવામાં આવ્યો હોય.

ઉલ્લેખનીય છે કે 01 જાન્યુઆરી 2021 થી જી.એસ.ટી. નિયમો હેઠળ રિવોકેશન અરજી કરવાની મુદત આસિસ્ટન્ટ કમિશ્નર સ્તરે 30 દિવસ, જોઇન્ટ કમિશ્નર સ્તરે 60 દિવસ તથા કમિશ્નર સ્તરે 90 દિવસ કરી આપવામાં આવી છે. આ સર્ક્યુલર અંતર્ગત એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે રિવોકેશન અરજી કરવાની મુદતની ગણતરીમાં જ્યારે નોંધણી દાખલો રદનો આદેશ 01 જાન્યુઆરી 2021 પછી (ઉપરોક્ત સુધારા પછી) કરવામાં આવ્યો હોય અથવા 01 જાન્યુઆરી 2021ના રોજ જી.એસ.ટી. રિવોકેશન અરજી કરવાની મુદત પૂર્ણ થયેલ ના હોય તેવા તમામ કિસ્સામાં જી.એસ.ટી. હેઠળ થયેલ સુધારા મુજબ નવી મર્યાદાનો લાભ મળશે.

આ ઉપરાંત આ સર્ક્યુલર દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે 31.08.2021 ના રોજ નોંધણી દાખલો રદ થયાના આદેશને 90 દિવસ પૂર્ણ થઈ ગયા હોય તેવા કિસ્સામાં 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં રિવોકેશનની અરજી કરવી ફરજિયાત રહેશે. આવા કિસ્સામાં કમિશ્નર કે જોઇન્ટ કમિશ્નર કોઈ વધારાની મુદતનો લાભ આપી શકશે નહીં. એવા કિસ્સાઓ કે જ્યાં 31.08.2021 સુધી નોંધણી દાખલા રદ થયાને 30 દિવસ થયા હોય તેવા કિસ્સામાં જોઇન્ટ કમિશ્નર જો યોગ્ય કારણ જણાય તો 30 સપ્ટેમ્બર 2021 બાદ 30 દિવસનો વધારાનો સમય આપી શકે છે. આ ઉપરાંત 31.08.2021 ના રોજ નોંધણી દાખલો રદ્દ થયાના આદેશને 60 દિવસ ઉપરનો સમય થયો હોય તો 30 સપ્ટેમ્બર 2021 બાદ, યોગ્ય જણાય તો  30 દિવસનો વધુ સમય કમિશ્નર કરદાતાને આપી શકે છે.

આમ, અધિકારી દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ રિટર્ન કે ટેક્સ ભરવાની ચૂકના કારણે રદ થયેલ લગભગ તમામ કરદાતાઓ ને આ વધારાની મુદતનો લાભ મળશે તેવું નિષ્ણાંતો માંની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!