2025 -26 માટે આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટ ના હોદ્દેદારો ચુંટાયા

0
Spread the love
Reading Time: < 1 minute
તા. 19.02.2025: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) ની આણંદ શાખા ના વર્ષ 2025-26 ના હોદ્દેદારો તરીકે ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન  તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે. આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 1986 થી તેના આશરે ૪૦૦ થી વધુ  CA સભ્યો તથા ૯૦૦  CA વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પરીસંવાદ તથા વિવિધ સમાજ અને દેશ હિત ના કર્યો કરતુ રહ્યું છે જેના માટે તેને સમયાંતરે રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સ્તર પર પુરષ્કાર થી બહુમાન મળેલ છે. આ બાબતે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન CA રોનક ગોયલ એ ખુશીની લાગણી વ્યક્ત કરતા અને તેઓ પર વિશ્વાસ મૂકી પ્રમુખની જવાબદારી સોપવા બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વિવિધ સમાજ અને દેશ હિત ના કાર્યો કરતુ રેહશે. તેના પછી CA સભ્યો તથા CA વિદ્યાર્થીઓ માટે આવક વેરા પર નવા આવેલ સુધારા કલમ ૧૯૪(T) અને નવા આવકવેરા બિલ પર પરિસંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત વક્તા  CA પલક પાવાગઢી  ઘ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતમાં સચિવ CA જાગૃત શાહ દ્વારા સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમિત સોની, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!