2024 -25 માટે આણંદ સીએ ઇન્સ્ટિટ્યૂટ ના હોદ્દેદારો ચુંટાયા

Spread the love
Reading Time: < 1 minute

તા. 22.02.2024: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) ની આણંદ શાખા ના વર્ષ 2024-25 ના હોદ્દેદારો તરીકે પ્રમુખ CA હિરેન પટેલ, ઉપ પ્રમુખ અને WICASA (CA Student શાખા) પ્રમુખ તરીકે CA રોનક ગોયલ, સચિવ તરીકે CA હર્ષિત દેસાઈ અને ખજાનચી તરીકે CA જાગૃત શાહ ચુંટાઈ આવ્યા છે.

આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 1986 થી તેના આશરે 380 CA સભ્યો તથા 850 CA વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પરીદંવાદ તથા વિવિધ સમાજ અને દેશ હિત ના કર્યો કરતુ રહ્યું છે જેના માટે તેને સમયાંતરે રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સ્તર પર પુરષ્કાર થી બહુમાન મળેલ છે.

આ બાબતે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ ના પ્રમુખ CA હિરેન પટેલ એ ખુશી ની લાગણી વ્યક્ત કરતા અને તેઓ પર વિશ્વાસ મૂકી પ્રમુખ ની જવાબદારી સોપવા બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વિવિધ સમાજ અને દેશ હિત ના કર્યો કરતુ રેહશે.

તેના પછી CA સભ્યો તથા CA વિદ્યાર્થીઓ માટે આવક વેરા પર નવી આવેલ ધારા 43(B) પર પરિસંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત વ્યક્ત CA મેહુલ ઠક્કર દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સચિવ CA હર્ષિત દેસાઈ દ્વારા સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે, નડિયાદ

error: Content is protected !!