સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 13th August 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


  1. અમારા અસીલ કંદોઇનો ધંધો કરે છે. 18 જુલાઇ 2022 થી “પ્રિ પેક્ડ એન્ડ લેબલ્ડ” માટે જે ફેરફાર આવ્યા તે અંગે મારા નીચે મુજબના પ્રશ્નો છે.
    1. વેફર્સ, ગાંઠિયા જુદા જુદા પેકિંગમાં તૈયાર રાખી વેચાણ કરવામાં આવે ત્યારે અમો 12% લેખે જી.એસ.ટી. ભરીએ છીએ. શું આ યોગ્ય છે?
    2. ફાફડા, ગાંઠિયા, જલેબી, ખમણ, પાત્રા વગેરે જ્યારે ગ્રાહકના ઓર્ડર ઉપર બનાવી તેની સામે પેક કરી આપીએ તેના ઉપર 5 % લેખે જી.એસ.ટી. લાગશે?
    3. શ્રીખંડ, બાસુંદી જેવી મીઠાઇ ગ્રાહક આવે તેની સામે જ પેક કરી ને વેચાણ કરવામાં આવે તો કેટલા ટકા જી.એસ.ટી. લાગુ પડે?

જવાબ: આપના પ્રશ્નોના જવાબ નીચે મુજબ આપીએ છીએ

  1. આપના અસીલ દ્વારા વેચાણ કરવામાં આવતા વેફર્સ, ગાંઠિયા જુદા જુદા પેકિંગમાં તૈયાર રાખી વેચાણ કરવામાં આવે ત્યારે જો રજિસ્ટર્ડ બ્રાન્ડ નેમ ધરાવતા હોય તો 12% જી.એસ.ટી. લાગુ પડે. આ સિવાયના કિસ્સામાં 5% જી.એસ.ટી. લાગુ પડે.
  2. ફાફડા, ગાંઠિયા, જલેબી, ખમણ, પાત્રા વગેરે જ્યારે ગ્રાહકના ઓર્ડર ઉપર બનાવી તેની સામે પેક કરી આપીએ તેના ઉપર 5 % લેખે જી.એસ.ટી. લાગશે.
  3. શ્રીખંડ, બાસુંદી જેવી મીઠાઇ ગ્રાહક આવે તેની સામે જ પેક કરી ને વેચાણ કરવામાં આવે તો 5% જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.

      2. અમારા અસીલ શૈક્ષણિક સંસ્થા ધરાવે છે. તેઓની શૈક્ષણિક સંસ્થા બાબતે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.

તેઓ દ્વારા એડમિશન ફોર્મનું વેચાણ કરવામાં આવે તે કરમુક્ત ગણાય?

તેઓના વિવિધ કર્યેક્રમોમાં સ્પોન્સરશીપ મળે ત્યારે તે આવક ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?

શાળા દ્વારા ભંગારમાં પસ્તીનું, જૂના ફર્નિચરનું વેચાણ કરવામાં આવે તેના ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે?

શાળા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વધારાની પ્રવૃતિ જેવી કે મ્યુઝિક, ડાન્સ, સ્પોર્ટ્સ માટે જે ફી લેવામાં આવે તેના ઉપર જી.એસ.ટી. કરમુક્તિનો લાભ મળે?

જવાબ: આપના પ્રશ્નોના અમારા મત મુજબ અમો નીચે મુજબ જવાબ આપીએ છીએ.

એડમિશન અંગેના ફોર્મનું વિતરણએ શૈક્ષણિક સંસ્થા પોતાના વિદ્યાર્થીઓને કરતી ના હોય આ વ્યવહાર ઉપર જી.એસ.ટી લાગુ પડે તેવો અમારો મત છે.

તેઓ વિવિધ કાર્યક્રમમાં સ્પોંશરશીપ મેળવે તે આવક ઉપર પણ જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

શાળા દ્વારા ભંગાર, જૂના ફર્નિચરનું વેચાણ કરવામાં આવે તો તેવા વ્યવહાર ઉપર પણ જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

શાળા દ્વારા પોતાના જ વિદ્યાર્થીઓને વધારાની પ્રવૃતિ જેવી કે મ્યુઝિક, ડાન્સ, સ્પોર્ટ્સ માટે ફી લેવામાં આવે તો આ ફી એ સ્ટુડન્ટને આપવામાં આવેલ ગણાય અને જી.એસ.ટી. હેઠળ કરમુકત બને.


 

       3. અમારો પ્રશ્ન 1.10.2022 થી લાગુ થતી ઇ ઇંવોઇસની જવાબદારી ઉપર છે. અમારું ટર્નઓવર નાણાકીય વર્ષ 2020 21 માં કે તે પહેલા ક્યારેય પણ 10 કરોડ થી વધુ થયું નથી. પરંતુ ચાલુ વર્ષે એટ્લેકે 2022 23 માં ઓગસ્ટ મહિનામાં જ અમારું ટર્નઓવર 10 કરોડથી વધુ થયું છે. આ સંજોગોમાં શું 01 ઓક્ટોબર 2022 થી અમો ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બાનીશું?

જવાબ: ઇ ઇંવોઇસની જવાબદારી નક્કી કરવાં માટે પાછલું વર્ષ મહત્વનુ છે. જે કરદાતાઑના પાછલા વર્ષનું ટર્નઓવર 10 કરોડથી વધુ થયું હોય તેઓને જ 01.10.2022 થી ઇ ઇંવોઇસ લાગુ પડે. આમ, આપનું ટર્નઓવર 2017 18 થી કોઈ પણ વર્ષમાં 10 કરોડથી વધુ થયું ના હોય ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારી 01.10.2022 થી લાગુ પડે નહીં. 01.04.2023 થી આપ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બનશો.


  1. અમારા અસીલને ઇનવરટડ રેઇટ સ્ટ્રકચર મુજબ નાણાકીય વર્ષ 2021 22 માટે રિફંડની અરજી કરવાની છે. હાલ માં થયેલ સુધારા મુજબ શું તેઓ દ્વારા મેળવેલ સર્વિસ માટે તેઓને રિફંડ મળી શકે?

જવાબ: ના, પોતે મેળવેલ સેવા માટેનું રિફંડ મળે તે અંગેનું નોટિફિકેશન રિસ્ટ્રોપેક્ટિવ નથી. આમ, 2021 22 ના ઇનવરટેડ રિફંડની અરજી માટે આ સેવા અંગેના રિફંડનો લાભ મળે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!