સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 18th June 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ દ્વારા એક મહિનામાં જી.એસ.ટી.આર. 1 ભરવામાં આવેલ છે. પરંતુ તેઓ દ્વારા GSTR 3B ભરેલ ના હતું. GST અધિકારી દ્વારા બેન્ક એટેચમેંટ- (બેન્ક ફ્રિઝ) કરી આપવામાં આવ્યું છે. શું અધિકારી નોટિસ આપ્યા વગર કરદાતાનું બેન્ક એકાઉન્ટન્ટ ફ્રીઝ કરી શકે?                                                                                                                                                                                                     ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા 

જવાબ: હા, ફાઇનન્સ એક્ટ 2021 માં કરવામાં આવેલ સુધારા મુજબ જો કમિશ્નરને રેવન્યુ બચાવવા જરૂરી લાગે તો તે નોટિસ આપ્યા વગર પણ બેન્ક એટેચ કરવા લેખિતમાં આદેશ કરી શકે છે. 

 * અપડેટેડ જવાબ

  1. અમારા અસીલનું 2017 18 માટેનું ઓડિટ CGST દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓડિટમાં અમારા અસીલને જી.એસ.ટી કલમ 9(3) હેઠળ કપાસ ઉપર RCM ભરવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આ ભરેલ RCM ની ક્રેડિટ મળે?                                                              એક ટેક્સ કન્સલ્ટન્ટ, ઉના

જવાબ: ઓડિટ દરમ્યાન ભરવામાં આવેલ RCM ની ક્રેડિટ લેવા ઓડિટ ધ્યાને લઈ “સેલ્ફ ઇનવોઇસ” જનરેટ કરી ક્લેઇમ કરી શકાય. આ બાબતે એક વાત નોંધાવી જરૂરી છે કે ભવિષ્યમાં જે વર્ષમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી હશે તે વર્ષના ઓડિટ દરમ્યાન આ ક્રેડિટ અંગે પ્રશ્નો આવી શકે છે જે અંગે લડવા કરદાતાની તૈયારી હોવી જરૂરી છે.    

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!