સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)24th December 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. મારા અસીલ જે એક બિલ્ડર છે તેમને BU પરમીસન પેહલા ગ્રાહક પાસે થી બુકિંગ પેટે ૨૦ લાખ નો બાનાખત કર્યો જેમાંથી ૧૫ લાખ તેમને મળ્યા અને બાકીના ૫ લાખ બાકી હતા. જેથી મારા અસીલે તે મળેલ રકમ પર ૧૨% GST ભરેલ હતો. પરંતુ BU પરમીસન મળ્યા બાદ ગ્રાહક તેનો બાનાખત કેન્સલ કરાવે છે.

પ્રશ્ન ૧) મારા અસીલે GST બાનાખતની રકમ પર ભરવાનો થાય કે પછી મળેલ રકમ પર?

પ્રશ્ન ૨) બાનાખત કેન્સલ થાય તો મારા અસીલે ભરેલ GST રિફંડ મળી શકે કેવી રીતે?                                                                           CA વિજય મિસ્ત્રી

જવાબ: આપના અસીલના ખરીદનાર જે રકમની ચુકવણી કરે તેટલી રકમ ઉપર તેઓ જી.એસ.ટી. ભરવા જવાબદાર બને કુલ બાનાખતની રકમ ઉપર નહીં, તેવો અમારો મત છે. જ્યારે બાનાખત રદ્દ થાય તેવા સંજોગોમાં આપના અસીલ ખરીદનારને ક્રેડિટ નોટ આપી પોતાની વેરકીય જવાબદારી ઘટાડી શકે અથવા રિફંડ મેળવી શકે તેવો અમારો મત છે.

  1. સને ૨૦૨૦-૨૧ માં વેચાણ કરેલ છે. તથા માલ પરત આવેલ 202૧-૨૨ માં પરંતુ GSTR-૧ કે GSTR-૩B માં કોઈ જ એમેન્ડમેંટ કરેલ નથી પરંતુ સને ૨૦૨૨-૨૩ ના SEP-૨૨ ના GSTR-૧ માં ક્રેડિટ નોટ નું એમેન્ડમેંટ કરેલ છે. જે માન્ય ગણી શકાય ?      જગદીશભાઈ વ્યાસ, ટેક્સ એડવોકેટ, ડીસા

જવાબ: હા, જો માલ પરત નાણાકીય વર્ષ 2021 22 માં થયો હોય તેવું માનીએ તેવા સંજોગોમાં ક્રેડિટનોટ પણ નાણાકીય વર્ષ 2021 22 માં બનાવવાની જવાબદારી આવે. આ પરિસ્થિતીમાં કરદાતા દ્વારા સપ્ટેમ્બર 22 ના રિટર્નમાં એમેંડમેંટ કર્યું હોય તો માન્ય ગણાય તેવો અમારો મત છે.

  1. સને ૨૦૨૧-૨૨ માં RCM ભરેલ છે. પરંતુ ક્રેડિટ લેવાની રહી ગયેલ છે. તો સને ૨૦૨૨-૨૩ માં ક્રેડિટ લઈ શકાય. જે ૩૦-૧૧-૨૦૨૨ સુધી ન લીધેલ હોય તો અત્યારે જે NOV-૨૨ ના GSTR-૩B માં લઈ શકાય?                                                                      જગદીશભાઈ વ્યાસ, ટેક્સ એડવોકેટ, ડીસા

જવાબ: ના, અમારા મતે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

  1. અમારા અસીલ પુંજારા ટેલિકોમની ફ્રેંચાઇજ લિધેલ છે. તેઓનું ડિસેમ્બર ૨૦૨૨ સુધીનું કમિશન કદાચ ૨૦ લાખ જેટલું થઈ શકે છે. શું આ કમીશન 20 લાખ થઈ શકે છે. શું તેઓ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને? પૂજારા ટેલિકોમ વાળા TDS SECTION 194JB હેઠળ  કાપે છે.                                                                                                                                                                                                              આકાશ પટેલ, સુરત

જવાબ: હા, આપના અસીલ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને. આ સાથે એ જણાવવું જરૂરી છે કે આપના અસીલ જો ફ્રેંચાઈઝી તરીકે કામ કરતાં હોય તો તેઓ જી.એસ.ટી. કાયદાની કલમ 24(vii) હેઠળ ફરજિયાત જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને.

  1. અમારા અસીલ જી.એસ.ટી. માં રેગ્યુલર વેપારી તરીકે માલિકી ધોરણે ફેર વેચાણનો ધંધો કરે છે. તેઓ આ ધંધો પોતાના પિતાશ્રી ના નામે તબદીલ કરવા માંગે છે. આવા સંજોગોમાં જ્યારે અમો તેઓના પિતાશ્રી ના નામે ધંધા માટે અરજી કરે ત્યારે તેઓ દ્વારા ક્યો વિકલ્પ પસંદ કરવાનો રહે?

જવાબ: આપના અસીલ પિતાશ્રીને ધંધો તબદીલ કરે ત્યારે Transfer of Business નો વિકલ્પ પસંદ કરવાનો રહે છે તેવો અમારો મત છે.

  1. અમારા એક અસીલ ફરી વેચનારનો ધંધો કરે છે. તેઓ GST માં ઉચ્ચક વેરો ભરવાની પરવાનગી ધરાવે છે. હવે તેઓની એક દુકાન છે જે ભાડે આપવાની છે. આ દુકાન ભાડાની આવક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? તેઓની વાર્ષિક ભાડાની આવક અંદાજિત 200000 (2 લાખ) જેવી થાય અને તેઓનું ટર્નઓવર 25 લાખ આસપાસ છે. મારા માટે આ ભાડાની આવક ઉપર પણ 1% જી.એસ.ટી. ભરવાનો રહે. આ અંગે આપના મંતવ્યો જણાવશો.

જવાબ: હા, તમારા મંતવ્ય સાથે અમે પણ સહમત છીએ. કુલ ટર્નઓવરમાં જ્યારે 5 લાખ કે ટર્નઓવરના 10% સેવા પૂરી પાડવામાં આવી હોય તેવા સંજોગોમાં તેઓ કંપોઝીશનના જી.એસ.ટી. ના દરે એટ્લે કે 1% જી.એસ.ટી. ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!