સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26th February 2022

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી.

  1. અમારા અસીલ પ્રોપરાઇટરશીપ ધોરણે બાંધકામ કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. તેઓને સ્કૂલ બાંધકામનો કોન્ટ્રાક્ટ મળેલ છે. અન્ય સબ કોન્ટ્રાકટર દ્વારા તેઓને 12% ના જી.એસ.ટી. વાળા બિલ આપવામાં આવેલ છે. સ્કૂલ બાંધકામમાં કેટલા ટકા દરે જી.એસ.ટી. લાગુ પડે?     શાહિદભાઈ એકાઉન્ટન્ટ, પાલનપૂર

જવાબ: સ્કૂલના બાંધકામના કોન્ટ્રાક્ટ ઉપર 18 % જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે. જે કામ માટે મુખ્ય કોન્ટ્રાકટર ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેના સબ કોન્ટ્રાકટર ઉપર પણ 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલની અમુક જેન્યુઇન ખરીદીઓ છે જે GSTR 3B માં શરત ચૂકથી સમયમર્યાદામાં લેવાની રહી ગઈ છે. આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ GSTR 2A માં યોગ્ય રીતે દર્શાવે છે. શું વાર્ષિક GSTR 9 માં આ ક્રેડિટ કોઈ કૉલમમાં દર્શાવી શકાય જે થી આકારણી તબક્કે આ ઈન્પુટ અમારા અસીલ પાસે કોઈ વિકલ્પ રહી શકે?                                                                                                           ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, જી.એસ.ટી. કાયદાની કલામ 16(4) માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા નિર્દિષ્ટ મર્યાદા ના કારણે જેન્યુઇન ખરીદીઑ હોવા છતાં, 2A માં દર્શાવેલ હોવા છતાં આ ક્રેડિટ 16(4) ની નિર્દિષ્ટ મર્યાદા બાદ મળી શકે નહીં. આ પ્રકારની ક્રેડિટ લેવા માટે પ્રેક્ટિકલ રીતે “જમ્પિંગ એન્ડ સ્કીપિંગ મેથડ” (ગત વર્ષની ક્રેડિટ પહેલા ગણી, ચાલુ વર્ષની ક્રેડિટ આવતા વર્ષમાં દર્શાવવાની પદ્ધતિ) જ્યાં શક્ય હોય ત્યાં વાપરી શકાય. આ સિવાય GSTR 9 ના કોઈ કૉલમમાં દર્શાવવાથી આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા છે અને પશુ આહાર વેપારનો મુખ્ય ધંધો કરે છે, જે કરમુક્ત છે. હવે તેઓએ એક જમીન ખરીદી તેના ઉપર બાંધકામનો ધંધો શરૂ કરેલ છે. બાંધકામ માટેની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ લે છે. આ દુકાનો જ્યારે વેચાણ કરશે ત્યારે તેઓ ઉપર જી.એસ.ટી. ની શું જવાબદારી આવે? શું આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળશે?                                         પ્રધાનજી પરમાર, ટેક્સ એડ્વોકેટ, ડીસા

જવાબ: જમીન ખરીદી તેના પર બાંધકામ કરી દુકાનો વેચાણની પ્રવૃતિ ઉપર 18% જી.એસ.ટી. નો દર લાગુ પડે. આ વેચાણની રકમમાંથી 1/3 રકમ જમીનની રકમ ગણી બાદ મળે. બાકીની રકમ ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે. આમ, એકંદર કુલ રકમ ઉપર 12% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. આ કામ બાબતની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપના અસીલને મળશે. આપના અસીલ દ્વારા કોઈ એડવાન્સ રકમ લેવામાં ના આવેલ હોય અને કંપલીશન સર્ટીફીકેટ મળી જાય પછી સ્થાવર મિલ્કતનો વેચાણ દસ્તાવેજ બને અને તો આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં. આવા વ્યવહાર ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!