સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના dt. 27.06.2024

0
Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. અમારા અસીલ સેકન્ડ હેન્ડ ગાડીઑનું ખરીદ વેચાણ કરે છે. જી.એસ.ટી. નું પત્રક ભરતા સમયે અમે ખરીદ વેચાણની કિંમતના તફાવત ઉપર 18% જી.એસ.ટી. ભરવીએ છીએ અને આ તફાવતની રકમનેજ ટર્નઓવર તરીકે દર્શાવીએ છીએ. શું આ યોગ્ય છે? આમ કરવાથી અમારા ઇન્કમ ટેક્સના ટ્રેડીંગ ખાતામાં પણ તફાવત આવે છે. આ મુશ્કેલી દૂર કરવા ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. માં એન્ટ્રી કેવી રીતે કરવી તેનું સૂચન કરશો.

                                                                                                                                                                              જગદીશ વ્યાસ એન્ડ એસો. , એડવોકેટ

જવાબ: જી.એસ.ટી. કાયદાના નિયમ 32(5) હેઠળ વેલ્યૂ ઓફ સપ્લાય એટ્લે વેચાણ અને ખરીદ કિંમતવચ્ચે નો તફાવત. માટે, આપ જે જી.એસ.ટી. પત્રકમાં કરો છો તે અમારા મતે બરાબર છે. ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. રિટર્ન માં ફેરફાર આવે તે GSTR 9C ભરી સમજાવવો જોઈએ તેવો અમારો મત છે.


  1. વેપારી શ્રી કરપાત્ર માલ તેમજ કરમુક્ત માલ નું વેચાણ કરે છે અને તેમનું ટર્નઓવર 5 કરોડ થી વધારે છે. તેઓ ટેક્સઇન્વોઇસ બનાવે છે. તો એમને કરપાત્ર માલ તેમજ કરમુક્ત માલ બંને માટે ઇ-ઇન્વોઇસ બનાવું પડે કે માત્ર કરપાત્ર માલ માટે બનાવે તો ચાલેઅને વેપારી શ્રી કરપાત્ર માલ માટે ટેક્સ ઇન્વોઇસ બનાવે અને કરમુક્ત માલ માટે બિલ ઓફ સપ્લાઇ બનાવે તો એક જ ફર્મ માં બે પ્રકાર ના બિલ બનાવે તો ચાલે?

જવાબ: ટેક્સ ફ્રી માલ માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત નથી. ટેક્સ ફ્રી માલ માટે બિલ ઓફ સપ્લાય બનાવવાનું રહે. આમ, એક જ ફર્મમાં આ બન્ને ઇંવોઇસ બનાવી શકે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. તેઓનું વેચાણ 1,12,00,000 છે. અમારો નફો શૂન્ય છે. અમારી રોકડમાં રિસીપ્ત/પેમેન્ટ 5% થી ઓછી છે. આવા સંજોગોમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB હેઠળ ઓડિટ જરૂરી છે કે ઓડિટ વગર ITR 5 ભરી શકાય છે.?

                                                                                                                                                                                            મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: 1,12,00,000 જેવુ ટર્નઓવર હોય પણ કેશ રિસીપ્ત કે પેમેન્ટ બન્ને માંથી કોઈ પણ 5% થી વધુ ના હોય તો ઓડિટ વગર ITR 5 ભરી શકાય છે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!