સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)18th October 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Experts

જી.એસ.ટી

  1. અમારા અસીલ કંપોઝીશન હેઠળ નોંધાયેલ કરદાતા છે. તેઓ પોતાના વેપાર ઉપર એક દુકાન ભાડાની આવક પણ ધરાવે છે. આ દુકાન ભાડાની આવક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                         એમ. બી. શાહ એન્ડ કૂ., અમરેલી.

જવાબ: આપના અસીલ કંપોઝીશન હેઠળ નોંધાયેલ હોય અને તેમની સેવાનું ટર્નઓવર કુલ વેચાણના 10% અથવા 5 લાખની મર્યાદામાં આવતું હોય તો તેમની સેવાના ટર્નઓવર ઉપર કંપોઝીશનના દરે એટ્લે કે 1% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.   

     2. અમારા અસીલ દ્વારા માલની ડિલિવરી અલગ અલગ દિવસોમાં કરવામાં આવતી હોય છે. આ વહનમાં એક ડિલિવરીમાં માલનું મૂલ્ય 50000 થી ઓછું રહેતું હોય છે. આ અલગ અલગ ડિલિવરીનું બિલ મહિનાના અંતે બનાવે છે જે 50 હજારથી વધુ રકમનું હોય છે. આવા વ્યવહારમાં દરેક ડિલિવરી સાથે ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહે?                                                                                                                        સહદેવ આહીર,  

જવાબ: ઇ વે બિલ બનાવવા અંગેની નાણાકીય મર્યાદા જે ડિલિવરીમાં આધીન માલ સાથે જોડાયેલ છે. આમ, જો એક સમયે ડિલિવરી દરમ્યાન માલની રકમ 50000 થી વધુ ના હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહે નહીં. પરંતુ આ તકે આપનું ધ્યાન એ બાબતે દોરવું જરૂરી છે કે માસિક ધોરણે બિલ બનાવવાની છૂટ અમુક સંજોગો (કંટીન્યૂઝ સપ્લાય) માંજ આપવામાં આવેલ છે. ડિલિવરી ચલણ સાથે માલની ડિલિવરી કરવા અંગેના જી.એસ.ટી. નિયમો હેઠળનો નિયમ 55 જોઈ જવા વિનંતી.  

 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!