જી.એસ.ટી. લેઇટ ફી શું કરવામાં આવશે માફ?? 14 જૂન ના રોજ જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગમાં થશે વિચારણા

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.06.2020: જી.એસ.ટી. કાઉન્સીલની આગામી બેઠક 14 જૂન ના રોજ મળવાની છે. આ મિટિંગમાં અન્ય મુદ્દાઓ સાથે સૌથી મહત્વનો મુદ્દો એ રહેશે કે જી.એસ.ટી. હેઠળ રિટર્ન મોડા ભરવાથી લાદવામાં આવતી લેઇટ ફી અંગે કોઈ છૂટછાટ આપવામાં આવી શકે કે કેમ. આ લેઇટ ફી દૂર કરવા અનેક રજૂઆતો કેન્દ્ર સરકારને કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારે પ્રેસ વિજ્ઞપ્તિ માં જણાવેલ છે કે લેઇટ ફી અંગે નો નિર્ણય એકલી કેન્દ્ર સરકાર લઈ શકે નહીં. આ અંગે જી.એસ.ટી. કાઉન્સીલ માં રાજ્યો સાથે ચર્ચા કરવી જરૂરી છે. આ માટે આ મુદાને કાઉન્સીલ ની હવે પછીની મિટિંગ માં લેવામાં આવેલ છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ માં એ પાનાં જણાવવામાં આવેલ છે કે આ લેઇટ ફી નો હેતુ કરદાતા પોતાનો કર તથા રિટર્ન નિયમિત ભારે તે સુનિશ્ચિત કરવાનો છે. COVID-19 ની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કરદાતાઓ ને ચોક્કસ આ રાહત આપવામાં આવશે તેવી આશા સૌ સેવી રહ્યા છે. આ ઉપરાંત લિક્વિડિટી અંગે અનેક લાભો જાહેર કરવામાં આવ્યા છે તો ચોક્કસ જૂની ભરેલ લેઇટ ફી પાછી આપવામાં આવશે તેવી જાહેરાતની પણ સંભાવના સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!