ભાવનગર ના વેપારીઓ દ્વારા જી.એસ.ટી. ની મુશ્કેલીઓ બાબતે પ્રધાનમંત્રી શ્રી ને પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

તા :- 18/12/2018, ભાવનગર:  નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ની પોસ્ટકાર્ડ જુંબેશ હેઠળ આજરોજ  ભાવનગર ખાતેથી વેપારીઓ દ્વારા અંતર્ગત 1200 જેટલા પોસ્ટકાર્ડ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ને મોકલવા માં આવ્યા હતા. વેપારીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રી ને જણાવવામાં આવ્યું  GST નું ઓડિટ CA ઉપરાંત ટેક્સ એડવોકેટ્સ તથા ટેક્સ કન્સલ્ટન્ટ ને પણ મળે, આ ઉપરાંત વેપારીઓ દ્વારા G S T સાઇટ ની ટેકનિકલ ખામીઓ વિષે પણ પ્રધાનમંત્રીશ્રી ને અવગત કર્યા હતા. આ જુંબેશ માં વેપારીઓ તથા ભાવનગર ના એડવોકેટ તથા ટેક્સ પ્રેકટીશ્નર નો ખાસ આભાર ભાવનગર જિલ્લા કો ઓરડીનેટર અજય મહેતા એ માન્યો હતો.

અજય મહેતા, ટેક્સ ટુડે રિપોર્ટર ભાવનગર

error: Content is protected !!