માત્ર માલ વહનનો રુટ ખોટો હોવાનું કારણ દર્શાવી માલ જપ્ત કરી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements with Tax Today

Karnataka Traders & Others Vs State of Gujarat

SCA 19549/2021

Order dt. 06.01.2022


કેસના તથ્યો:

  • અરજદાર સોપારીનો ધંધો કરતાં હતા અને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા હતા.
  • તેઓ દ્વારા ખરીદનાર કે જેઓની ઓફિસ અમદાવાદ ખાતે હતી તેઓને માલનું વેચાણ કરવામાં આવ્યું હતું.
  • અરજદાર નંબર 2 એ ટ્રકના માલિક હતા, જેઓના ટ્રકમાં માલ વહન થવાનો હતો.
  • માલને અધિકારીઓ દ્વારા 20 નવેમ્બર 2021 ના રોજ સવારે અંદાજે 11:40 કલાકે રોકવામાં આવ્યો હતો.
  • માલ સાથે કાયદા મુજબનું બિલ તથા ઇ વે બિલ હતું.
  • અધિકારી દ્વારા માલની તપાસ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
  • આ તપાસમાં અધિકારીને માલના જથ્થા જેવી બાબતમાં કોઈ તફાવત મળ્યો ના હતો.
  • અધિકારી દ્વારા બે બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. 1) માલ જે જગ્યા એ પકડવામાં આવ્યો છે તે જગ્યા, જે જગ્યા ઉપર માલ મોકલવામાં આવી રહ્યો છે તેના રુટ પ્રમાણે બારોબાર ન હતી. 2) માલનું મૂલ્ય ખરેખર મૂલ્ય કરતાં ઓછું દર્શાવવામાં આવ્યું છે.
  • અધિકારી દ્વારા માલ તથા ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો, જેના આદેશ સામે અરજદારો દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.

કરદાતા તરફે રજૂઆત:

  • માલનું મૂલ્ય એ ટ્રક વાહન રોકવાનું કારણ બની શકે નહીં.
  • આ બાબતે K P Sugandh Ltd Vs State of Chattisgrah 2020(38)GSTL 317 (Chattisgrah) નો ચુકાદો ટાંકવામાં આવ્યો હતો.
  • અલગ રુટ હોવાની બાબત પણ માલ જપ્તીનું કારણ બની શકે નહીં.
  • અરજદારના વકીલ દ્વારા પોતાની દલીલના સમર્થનમાં Podran Foods India Pvt Ltd Vs State of Kerela તથા Kannangayathu Metals Vs Asst State Tax Officer, SGST Department, Thiruvananthpuram ના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા.

સરકાર તરફે રજૂઆત:

  • અરજદાર દ્વારા કરવામાં આવેલ માલ વાહન એ સંપૂર્ણ રીતે ખોટી દિશામાં થઈ રહ્યું હતું જે અરજદારનો ચોરીનો ઇરાદો દર્શાવે છે.
  • આ બાબત ધ્યાને લઈ આ રિટ પિટિશનના સ્વીકારવા કોર્ટને રજૂઆત કરવામાં આવી હતી.

કોર્ટનો ચુકાદો:

  • માત્ર ખોટી દિશા તથા ખોટા રુટ હોવાના કારણે માલ જપ્ત કરવામાં આવે તે યોગ્ય નથી.
  • માલની ઓછી કિમત બાબતે અધિકારી દ્વારા કોઈ પણ પુરાવા આપવામાં આવ્યા નથી.
  • માલના મૂલ્ય બાબતે માલ જપ્તી થઈ શકે નહીં તે બાબતના વિવિધ હાઇકોર્ટના ચુકાદા સાથે કોર્ટ સહમત છે.
  • કોર્ટ દ્વારા આ જપ્ત કરેલ માલ ત્વરિત છોડવા આદેશ કરવામાં આવે છે.
  • કોર્ટ દ્વારા આ બાબતે સ્પષ્ટ આદેશ કરવામાં આવે છે કે માત્ર રુટ બદલવાના કારણે કર ચોરીનો ઇરાદો છે તે સાબિત ના કરી શકાય. આ ઉપરાંત સયોગિક પુરાવાઓ હોય તો આ બાબત પુરવાર કરવી શક્ય બની શકે.
  • ઓછું મૂલ્ય દર્શાવેલ હોવાની તકરાર લઈ માલ જપ્ત કરવો પણ યોગ્ય નથી.

(સંપાદક નોંધ: માલ વહન દરમ્યાન ઓછા મૂલ્ય (અંડર વેલ્યૂએશન) તથા ખોટા રુટ હોવાના કારણે અવારનવાર માલની જપ્તીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે, ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને ખૂબ ઉપયોગી બનશે તે બાબત ચોક્કસ છે.)

 

error: Content is protected !!