જી.એસ.ટી. ઓડિટ કરાવવા માંથી વેપારીઓને મળી ગઈ મુક્તિ????

Spread the love
Reading Time: < 1 minute

2019-20 માટે તો જી.એસ.ટી. ઓડિટ કરાવવું છે જરૂરી: CBIC દ્વારા Twitter પર આપવામાં આવ્યો ખુલાસો

તા. 03.02.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ નિયત ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર થતું હોય તેવા કરદાતાઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવું જરૂરી હતું. આ નિયમમાં મહત્વનો ફેરફાર બજેટ 2021 દ્વારા કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. ઓડિટને લગતી કલમ 35(5) તથા 44 માં આ ઓડિટની જોગવાઈ દૂર કરી નાંખવામાં આવી છે.  આ ઓડિટ PAN પ્રમાણે કુલ ટર્નઓવર ઉપર કરવાનું થતું હતું. આ કારણે પણ કોઈ એક રાજ્યમાં ખૂબ નાનું ટર્નઓવર હોવા છતાં અન્ય રાજ્યોનું ટર્નઓવર નિયત મર્યાદાથી વધુ થતું હોય, કરદાતા ઉપર ઓડિટનું ભારણ નાહક વધતું હતું. હવે આ ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓના “કંપલાયન્સ” ની જવાબદારીમાં ઘટાડો થશે.

ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20 માટેના ઓડિટને પણ કરવવાની જરૂર નહીં પડે તેવું અમુક કરદાતાઓ માની રહ્યા હતા. આ અંગે સ્પષ્ટતા કરતાં CBIC એ પોતાના ઓફિશિયલ twitter હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે ઓડિટ દૂર કરવા અંગેનો સુધારો ભવિષ્યની તારીખથી “નોટિફાય” કરવામાં આવશે. આ સુધારો નાણાકીય વર્ષ 2019-20 ને લાગુ પડે નહીં. CBIC દ્વારા આ ખુલાસો કરતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે નાણાકીય વર્ષ 2019-20 માં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ જી.એસ.ટી. ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ઓડિટ કરવવાની મુદત 28 ફેબ્રુઆરી સુધી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!