સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt : 10.02.2024

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ રેસ્ટોરન્ટ ધરાવે છે. આ રેસ્ટોરન્ટમાં તેઓ ચા-કોફી, આઈસક્રીમ, કેક વગેરેનું વેચાણ કરે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ રેગ્યુલર સ્કીમમાં છે. અમારો પ્રશ્ન HRPL Restaurant Pvt Ltd, AAR GUJ/GAAR/R/2023/08 ના સંદર્ભે પૂછી રહ્યો છે. અમારા અસીલ માત્ર આઇસ્ક્રીમનો ઓર્ડર કરે જે તેઓ અમારા રેસ્ટોરન્ટ માંજ વપરાશ કરી રહ્યા છે તો શું આવા આઇસ્ક્રીમના વેચાણ ઉપર 18% જી.એસ.ટી. લાગે? અને જો 18% જી.એસ.ટી. લાગે તો શું ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે?                                                             મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: રેસ્ટોરન્ટમાં માત્ર આઇસ્ક્રીમનો ઓર્ડર પણ કરવામાં આવે તો આ વેચાણ એ રેસ્ટોરન્ટ સર્વિસ ગણાય અને આઈસક્રીમ વેચાણ ગણાય અને 5% જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ દ્વારા ECCS હેઠળ ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે. આ ઇમ્પોર્ટ કરેલ માલની બિલ ઓફ એન્ટ્રી, ડિસેમ્બર મહિનાના GSTR 2B/2A માં દર્શાવતુ નથી. જી.એસ.ટી. પોર્ટલ ઉપર Search BOE માં પણ આ દર્શાવતુ નથી. મારો પ્રશ્ન એ છે કે તો આવા સંજોગોમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે લેવી?                                                                                                                                                         મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ 

જવાબ:  ઇમ્પોર્ટ કરવામાં આવેલ માલ પર ભરવામાં આવેલ IGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ GSTR 2B/2A માં દર્શાવે નહીં તો પણ ખરેખર ભરેલ હોવાથી જ મળી શકે તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ પીવાના પાણીને શુદ્ધ (પ્યોરીફાય) કરી વેચાણ કરવાનો ધંધો કરે છે. તેઓ જી.એસ.ટી. માં રેગ્યુલર નંબર ધરાવે છે. મારા પ્રશ્નો નીચે મુજબ છે:
    1. 20 લિટરના જારમાં પાણી ભરી ને વેચાણ કરે તો GST નો દર શું રહે?
    2. 5 અને 10 ના MRP વળી બોટલમાં આ પાણી વેચાણ કરવામાં આવે તો વેરનો દર શું રહે?

                                                                                                                                                                        પ્રવીણભાઈ ખરેચા, ટેક્સ કન્સલ્ટન્ટ, ધંધુકા

જવાબ: 20 લિટરના પેકિંગમાં જારમાં ભરીને વેચાણ કરવામાં આવતા પ્યુરિફાઇડ પાણી ઉપર 12% ના દરે જી.એસ.ટી. લાગે અને અન્ય પેકિંગમાં વેચાણ થતાં પ્યુરિફાઇડ પાણીમાં 18% ના દરે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!