ચરોતરના આણંદ ખાતે વિવિધ એસોસિએશન ઘ્વારા ટેક્ષ સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: < 1 minute

તા. 08.12.2024: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, આણંદ બ્રાન્ચ WIRC ઓફ ICAI અને વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆઈડીસી ના સંયુક્ત ઉપક્રમે ટેક્ષ સેમિનાર વિયુનગર જીઆઈડીસી હોલ ખાતે યોજાયો. એજીએફટીસી પ્રમુખ સીએ રવિ શાહ, સહ મંત્રી અમિત સોની, આણંદ સીએ બ્રાન્ચ પ્રમુખ કેતન સામદાની, મંત્રી સીએ રોનક ગોયલ, વી યુ નગર ઇન્ડ. એસો. પ્રમુખ હેમલ પટેલ, મંત્રી નંદકિશોર શાહ, સેમિનાર ના વક્તાશ્રી ઓ માં બ્રિજેશ ઠાકર અને એડવોકેટ જીગ્નેશ પરીખ ની ઉપસ્થિત માં ઉદઘાટિત થયેલ.
વકતાશ્રી બ્રિજેશભાઈએ જીએસટી ના રોજિંદા પ્રશ્નોનો પ્રતિઉત્તરને કોર્ટના ચુકાદા ટાંકીને ખુબ ઉમદા વક્તવ્ય આપેલ. વકતાશ્રી એડવોકેટ જીગ્નેશ પરીખે યુનિયન બજેટ 2024 ના સુધારા અને હાલમાં વેપારીઅલમ માં ચર્ચાસ્પદ વિષય કલમ 43બી (એચ) પર ઉમદા વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ત્રણેય એસોસિએશનના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, સામાન્ય સભ્યો, જાહેર જનતા, એકાઉન્ટન્ટો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ.

error: Content is protected !!