જી.એસ.ટી. હેઠળ મોટા પાયે આપવામાં આવેલ નોટિસો બાબતે અમદાવાદ ખાતે સેમિનારનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, ઇન્કમટેક્ષ બાર એસોસિએશન અને ધ ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે જીએસટી કાયદા અન્વયે સેમિનારનું આયોજન

તા. 21.10.2023:ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, ઇન્કમટેક્ષ બાર એસોસિએશન અને ધ ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે જીએસટી કાયદા અન્વયે સેમિનાર યોજાયો. એજીએફટીસી પ્રમુખ સીએ રવી શાહ, આઇટી બાર પ્રમુખ સીએ આશિષ ટેકવાની, ટાગ એડવોકેટ પ્રમુખ કિંજલભાઈ શાહ વક્તાશ્રી સીએ જનકભાઈ વાઘાણી અને એડવોકેટ શૈલેષભાઇ શેઠ, મુંબઈ ની ઉપસ્થિત માં આત્મા હોલ, અમદાવાદ ખાતે યોજાયો.

વક્તાશ્રી સીએ જનકભાઈ વાઘાણી અને એડવોકેટ શૈલેષભાઇ શેઠે જીએસટી કાયદા અન્વયે શૉ કોઝ નોટિસ ના કોમ્પ્લાયન્સ અંગે બંને વક્તાએ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સીએ વિશ્વેશ શાહ, સહયોગી એસોસિએશનના મંત્રી માં શ્રીધર શાહ, નૈતિક શાહ, જયકિશન પમનાની, અમિત સોની,પાસ્ટ પ્રેસિડેન્ટ ધ્રુવેન શાહ, ભરત શેઠ, આશુતોષ ઠક્કર, મિતીશ મોદી, વારીશ ઈશાની, કૌશલ વ્યાસ,કારોબારી સભ્યો, જનરલ સભ્યો, આમ અમદાવાદ,ભાવનગર, સુરત, આણંદ, નડિયાદ, ગુજરાતભર ના ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે

error: Content is protected !!