સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 05th March 2022

A 3D illustration of a large red word, "TAXES", surrounded by dark gray question marks, representing challenge to solve or complete taxes. Isolated on white.

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલે એગ્રિકલચર પ્રોડક્ટ (ઘઉં જીરા) ની સફાઈ માટે મશીન લાવેલ છે આ મશીન ઉપર અમે જીએસટી ની ક્રેડિટ લીધેલ છે હવે અમે ખેડૂતોને ઘઉં જીરા ની સફાઈ માટે ની સર્વિસ આપીએ છીએ તો શું આ સર્વિસ ઉપર અમારે જીએસટી ભરવાની જવાબદારી આવે ? જો આવે તો જીએસટી કેટલા ટકા લાગ? હવે અમારે આ પેઢીનો જીએસટી નંબર રદ કરવો છે અમે જે મશીન ખરીદેલ હતું તેના પર શું જીએસટી ની ક્રેડિટ લીધેલ છે તેનો ટેક્સ ભરવો પડશે ? ભરવો પડે તો ક્યાં જીએસટી આર –10 ફાઈલ કરશું ત્યાં કે પછી જાન્યુઆરી થી માર્ચ 2022 નું 3બી ભરીએ તેમાં આઇટીસી રિવર્સ કરીને કેન્સલ કરી શકીએ?                                                                                  દેવાભાઈ ભૂખિયા, ટેક્સ એડવોકેટ ડીસા

જવાબ: ઘઉં-જીરા ની સફાઈ ઉપર 5% ના દરે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. જો મશીનરીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ હોય તો જી.એસ.ટી. નિયમ 43 હેઠળ રિવર્સ કરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.   

  1. અમો એક એજયુકેશન કન્સલ્ટન્ટની ફ્રેંચાઈઝી ધરાવીએ છીએ. જેમાં અમોને કમિશન મળે છે. શું અમોને જી.એસ.ટી. હેઠળ નોંધણી મેળવવાની 20 લાખની મર્યાદાનો લાભ મળે? કે અમારે જી.એસ.ટી. કાયદાની કલમ 24(VII) હેઠળ ફરજિયાત નોંધણી દાખલો લેવો પડે? જો ફરજિયાત નોંધણી દાખલો લેવો પડે તો શું અમોને સર્વિસ કંપોઝીશનનો લાભ મળે?                                                                            વિકાસ મિસ્ત્રી, આણંદ

જવાબ: હા, અમારા માટે ફ્રેંચાઇઝી હેઠળ સેવા પૂરી પડતાં હોય જી.એસ.ટી. કાયદા ની કલામ 24(VII) હેઠળ ફરજિયાત નોંધણી નંબર લેવો પડે તેવો અમારો મત છે. હા, કંપોઝીશન સ્કીમનો લાભ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ પેટ્રોલ પંપનો ધંધો ધરાવે છે. તેઓનું ટર્નઓવર 20 કરોડથી વધુ છે. શું તેઓની ઉપર ઇ ઇન્વોઇસના નિયમો લાગુ પડે?                                                                                                                                                                                                                 જગદીશ વ્યાસ, ડીસા

જવાબ: પેટ્રોલ પંપના વેપારીનો મુખ્ય ધંધો નોન જી.એસ.ટી. B2C ના ઈંવોઈસ આપવાના થતાં હોય, આ પ્રકારના બિલો માટે ઇ ઇન્વોઇસની જોગવાઈ લાગુ પડે નહીં. પરંતુ ઓઇલના B2B વેચાણ, ટ્રંક રેન્ટ બાબતે RCM ના બિલ બનાવવા માટે ઇ ઇન્વોઇસની જોગવાઇઓ લાગુ પડશે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ પશુ આહારનો તથા અનાજનો ધંધો કરે છે. આ પશુ આહાર તથા અનાજ બંને કરમુક્ત છે. તેઓનું ટર્નઓવર 50 લાખથી વધુ છે. શું તેઓએ ફરજિયાત નોંધણી નંબર લેવો જરૂરી બને?                                                                                               સંદીપ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, માત્ર કરમુક્ત માલનો ધંધો કરતાં વ્યક્તિને જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને નહીં. માત્ર સાવચેતી માટે જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 24 હેઠળ ફરજિયાત નંબરની જોગવાઇઓ લાગુ નથી પડતી એ જોઈ જવું જરૂરી છે.

 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ અંતરરાજ્ય માલનું વેચાણ કરે છે તેમાં ટ્રાન્સપોર્ટરની સેવા લે છે. આ ટ્રાન્સપોર્ટરની સેવાઓ ઉપર TDS કાપવામાં ના આવે તેના માટે ટ્રાન્સપોર્ટર ડિકલેરેશન આપે છે. શું આ ડિકલેરેશન ધ્યાને લઈ TDS ના કરવું યોગ્ય કહેવાય?                                                                                                                                                                                                            હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ

જવાબ: હા, ટ્રાન્સપોર્ટર દ્વારા આપવામાં આવતા ડિકલેરેશન ધ્યાને લઈ TDS ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.  

આ કૉલમ તમને ઉપયોગી લાગી હોય તો અમારી વેબસાઇટ ના નોટિફીકેશન “એલવ” કરવા વિનંતી. આ કૉલમ દર અઠવાડિયે આપના ઇ મેઈલ ઉપર મેળવવા નીચેની લિન્ક પર આપનું ઇ મેઈલ નોંધાવો.

https://taxtoday.co.in/get-news-on-mail/

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!