સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 10th September 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા વેપારી માર્કેટિંગ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયા ખરીદી કરે છે. આ તેલીબિયા ઉપર શું અમર RCM ભરવાપાત્ર બને? તેઓ ખરીદી ઉપર મજૂરી પણ ચૂકવે છે. શું આ મજૂરી ઉપર RCM ભરવાપાત્ર બને? તેઓ દ્વારા ચૂકવવામાં આવતું ટ્રક ભાડું RCM ને પાત્ર બને?

જવાબ: ના, કપાસ સિવાયના તેલીબિયા ઉપર હાલ RCM લાગુ નથી તેવો અમારો મત છે. તમારા વેપારી દ્વારા ચૂકવવામાં આવતી મજૂરી ઉપર RCM લાગુ પડે નહીં તેવો અમારો મત છે. હા, ટ્રક ભાડું GTA ગણાય અને તેના ઉપર RCM ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. 

  1. અમારા અસીલ દ્વારા GSTR 1 માં એક બિલનું મૂલ્ય જે 20000 હતું તેના સ્થાને 25000 દર્શાવેલ છે. હવે GSTR 1 સુધારા કરવામાં હવે તેઓએ આ બિલ સુધારો કરી 20000 ની રકમ નાંખવાની રહે કે 5000 નો ઘટાડો જૂની એન્ટ્રીમાં કરવાનો રહે?                      નૈમિષ દૂધત્ર, રાજકોટ

જવાબ: આપના અસીલના GSTR 1 માં સુધારો કરવા ઇંવોઇસમાં જે અગાઉ B2B કે B2C મે એન્ટ્રી કરેલ હોય તે એન્ટ્રીમાં જઈ જ્યાં 25000 છે ત્યાં રકમ 20000 ની કરવાની રહે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ દ્વારા પોતાના તથા પોતાના પત્નીના નામે એક ફ્લેટ ખરીદવામાં આવેલ છે જેની કિંમત 40 લાખ છે. પતિએ પોતાના એકલાના નામે હોમ લોન લઈ 30 લાખની ચુકવણી કરવામાં આવેલ છે. પત્નીએ પોતાના ખાતામાંથી 10 લાખનો ચેક આપેલ છે. સબરજીસ્ટ્રારમાં નોંધવામાં આવેલ વેચાણ દસ્તાવેજમાં બંનેના હિસ્સાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ સંજોગોમાં અમારે ચોપડમાં એન્ટ્રી પાડવા તેઓની ચૂકવણી ધ્યાને લઈ 75% તથા 25% નો રેશિયો લેવાનો રહે કે 50%-50% નો રેશિયો લેવો જોઈએ?                  રમેશભાઈ સોઢા, એકાઉન્ટન્ટ, જુનાગઢ  

જવાબ: જ્યારે દસ્તાવેજમાં ખરીદનારના ભાગ વિષે કોઈ ઉલ્લેખ ના હોય અને ખરીદનારાઑ દ્વારા ચુકવણી કોઈ નિર્ધારિત રેશિયો પ્રમાણે કરેલ હોય ત્યારે મિલ્કત ખરીદી માટે થયેલ ચુકવણીના રેશિયો, જે હાલના પ્રશ્નમાં 75%-25% છે તે મુજબ ચોપડે ચોપડે મિલ્કત લેવી જોઈએ તેવો અમારો મત છે.   

  1. અમારા અસીલના કેસમાં નાણાકીય વર્ષ 2017 18 ની સ્કૃટીની ઉપસ્થિત થઈ હતી. તેઓને આ સ્કૃટીનીમાં 2 લાખ જેવી રકમ ભરવાની થતી હતી. આ બે લાખ પૈકી 1 લાખ તેઓ દ્વારા ભરવામાં આવેલ છે. શું આ 1 લાખ પહેલા વ્યાજમાં જમા થાય તેવો કોઈ નિયમ ઇન્કમ ટેક્સ હેઠળ છે?                                                                                                                                                                                                ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 140A ના એક્સપ્લેનેશન મુજબ કોઈ પણ ટેક્સની રકમ પૂર્ણતઃ ભરવામાં આવેલ ના હોય ત્યારે આ ભરેલ રકમ પહેલા લેઇટ ફી માટે તથા ત્યાર બાદ વ્યાજ માં ભરેલ ગણાશે અને જે રકમ વધે તે રકમ ટેક્સ તરીકે જમા કરવામાં આવશે.     


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!