સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt. 16.09.2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ધરાવે છે. તેઓનું ટર્નઓવર અંદાજે 60 કરોડ જેવુ છે. તેઓને 01.04.2021 થી e invoice ના નિયમો લાગુ થઈ જાય છે. તેઓને જી.એસ.ટી. લાગુ પડે તેવી ટ્રાન્સપોર્ટેશન આવક થાય છે જે RCM હેઠળ કરપાત્ર છે. આ ઇ ઇંવોઇસ અંગે અમારા નીચે મુજબ પ્રશ્નો છે.

અમોએ હાલ સુધી આ ઇંવોઇસ જનરેટ કર્યા નથી તો શું જૂના RCM ના બિલો હવે ફરી જનરેટ કરી આપવા જોઈએ?

અમો જૂના ઇંવોઇસ જનરેટ કરીએ તો ચાલુ જી.એસ.ટી. રિટર્ન માં આ તમામ બિલો દર્શવાશે. શું આ ઇંવોઇસ ડિલીટ કરી નાંખવા જોઈએ?

આમ કરવાથી શું સામે વાળા ના RCM ઇંવોઇસમાં કોઈ તકલીફ થાય?                                                          મિકુલ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ અમદાવાદ

જવાબ: હા, અમારા મત મુજબ જે જૂના ઇંવોઇસ હાલ જનરેટ કરેલ નથી તે હવે કરી આપવા જોઈએ. જૂના ઇંવોઇસ જે ચાલુ મહિનાના GSTR 1 માં દર્શાવશે તેને ડિલીટ કરી શકાય. આમ કરવાથી RCM ની જવાબદારી જ આવતી હોય સેવા મેળવનારને કોઈ તકલીફ થાય નહીં તેવો અમારો મત છે.


  1. અમારા અસીલનું ઓડિટ 2017 18 થી 2020 21 નું સેંટરલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટમાં ચાલુ છે. અમારા અસીલ NIL રેટેડ વેચાણ દર્શાવેલ છે. અમોએ કરેલ ખરીદી એ ટેકસેબલ ખરીદી છે અને તેની ઈન્પુટ ક્રેડિટ લેજરમાં પડી છે. આ પૈકી અમે કોઈ ક્રેડિટનો વપરાશ કરેલ નથી. આ ક્રેડિટ 2022 માં એક સાથે રિવર્સ કરેલ છે. અધિકારીનો અભિપ્રાય એવો છે કે ક્રેડિટ મોડી રિવર્સ કરી છે માટે કલમ 74 હેઠળ પેનલ્ટી લાગુ પડે. આ અંગે શું લાભ મળી શકે તે અંગે માર્ગદર્શના આપશો.                                                                                        ધવલ ખખર, ટેક્સ કન્સલ્ટન્ટ,  રાજકોટ    

જવાબ: ખોટી માંગવામાં આવેલ પરંતુ વાપરવામાં ના આવેલ ક્રેડિટ બાબતે કલમ 74 હેઠળ પેનલ્ટી લાગી શકે નહીં તેવો અમારો મત છે. આ બાબતે મદ્રાસ હાઇકોર્ટનો આથી હોટેલ ના કેસમાં કરદાતાની તરફેણમાં ચુકાદો આપવામાં આવેલ છે. આ બાબતે અધિકારી દ્વારા પેનલ્ટી કરવામાં આવે તો અપીલમાં જઇ રાહત મેળવવાનો વિકલ્પ લઈ શકાય.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt. 16.09.2023

Comments are closed.

error: Content is protected !!