સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 20th August 2022

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

  1. અમારા અસીલ માત્ર સેવા પૂરી પાડે છે. શું ઇ ઇંવોઇસના નિયમ માત્ર સેવા પૂરી પાડતા હોય તેવા કરદાતાને પણ લાગુ પડે? અમારા આ અસીલ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોમાં ઓફિસ ધરાવે છે. શું ગુજરાત રાજ્ય દ્વારા મહારાષ્ટ્રમાં માલ મોકલવાનો થાય તેના માટે પણ ઇ ઇંવોઇસ બનાવવાનું રહે?         સંદીપ પંચાલ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, ઇ ઇંવોઇસના નિયમ, ઇ ઇંવોઇસની મર્યાદાથી વધુ ટર્નઓવર હોય તો સેવા પૂરી પાડનાર કરદાતાઑને પણ લાગુ પડે. હા, એક વાર ઇ ઇંવોઇસની જોગવાઈ લાગુ પડે પછી પોતાની મહારાષ્ટ્રની બ્રાન્ચને કરવામાં આવતા વેચાણ માટે પણ ગુજરાતની બ્રાન્ચ દ્વારા ઇ ઇંવોઇસ બનાવવાનું રહે તેવો અમારો મત છે. 

  1. અમારા એક અસિલે પોતાની જમીન ઉપર શેડ બનાવવા કોન્ટ્રાક્ટ એક કંપનીને આપેલ છે. આ કોન્ટ્રાક્ટમાં RCC વર્ક, ફ્લોરિંગ, સ્ટીલ, લેબર વગેરે મળી કુલ 2.5 કરોડ જેવો કોન્ટ્રાક્ટ થશે, જેના ઉપર કંપની જી.એસ.ટી. લગાડશે. આ શેડ તૈયાર થયા બાદ તેનો ઉપયોગ ભાડે આપવા થનાર છે જેના ઉપર અમારા અસીલ જી.એસ.ટી. ભરવા જવાબદાર બનશે. અમારો પ્રશ્ન એ છે કે શું આ 2.5 જેવી રકમ ઉપર લાગુ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમોને મળે?                            મિકુલ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, આ પ્રકારના સ્થાવર મિલકત બનાવવા માટે વર્કસ કોન્ટ્રાકટરને ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 17(5)(c) હેઠળ મળે નહીં તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર: આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!