સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 09th July 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. હું એક વેપારી છું. મારા GSTR 3B ભરવામાં કુલ મળવા પાત્ર ક્રેડિટ હું 4(A5) માં દર્શવું છું. આ પૈકી પર્સનલ વપરાશની ITC હું 4(B2) માં દર્શવું છું. શું આ ITC ફરી મારે 4(D1) માં દર્શાવવાની રહે?                                                                                           અજય પૂજરા, વેપારી, અમદાવાદ

જવાબ:  ના, એક વખત 4(B1) માં દર્શાવેલ રિવર્સ કરેલ ITC ને ફરી 4(D1) ITC માં દર્શાવવાની રહે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ સોની છે. તેઓ બિનનોંધાયેલ ગ્રાહકો પાસેથી જૂનું સોનું ખરીદે છે. આ સોનું ખરીદવા સમયે શું તેઓએ ગ્રાહકો પાસેથી કોઈ જી.એસ.ટી. વસૂલવાનો રહે? શું તેઓ આ ખરીદી બાબતે RCM ભરવા જવાબદાર બને?                                          હેમલ સોની, ટેક્સ કન્સલ્ટન્ટ.

જવાબ: ના, જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હાલ સ્થગિત કરેલ હોય, સોની એ બિનનોંધાયેલ વ્યક્તિ (ગ્રાહક) પાસેથી કરેલ સોનાની ખરીદી ઉપર કોઈ જી.એસ.ટી. વસૂલવાનો રહે નહીં. તેઓની આ ખરીદીના વ્યવહાર સબબ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ URD ઘઉં ખરીદી કરી તેમાંથી લોટ બનાવવા પ્લાસ્ટિક કે ગન્ની બેગમાં પેક કરી તેનું વેચાણ કરે છે. મારો પ્રશ્ન શિવ ફ્લોર મિલ WB AAR ના સંદર્ભે છે. જે અંતર્ગત પેકિંગમાં વેચાણ કરવામાં આવતા ઘઉં ઉપર વેરો ક્યાં દરે લાગે તે જણાવવા વિનંતી.

જવાબ: શિવ ફ્લોરનું AAR એ સરકારને કરવામાં આવતી PDS હેઠળની સપ્લાય બાબતનું છે. સામાન્ય સંજોગોમાં બ્રાન્ડ હેઠળ વેચતા ઘઉં ટેક્સેબલ છે. તેના ઉપર 5% વેરો લાગુ પડે.  જ્યારે બ્રાન્ડ વગર વેચાણ કરવામાં આવતા ઘઉં કરમુક્ત છે. 47 મી કાઉન્સીલ મિટિંગ પછી જી.એસ.ટી. રેઇટ અંગેના નોટિફિકેશન બહાર પડશે ત્યાર બાદ આ અંગે યોગ્ય ફેર વિચારણા કરવી પડે તેવી શક્યતા ઊભી થઈ શકે છે.   


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલના પગાર માંથી દર મહિને ESI (Employee State Insurance) કાપવામાં આવે છે. આ ESI ની રકમ કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં 80C હેઠળ બાદ મળે?                                                                                                                          પ્રશાંત મકવાણા, એડ્વોકેટ

જવાબ: ના, ESI ની કપાત થયેલ રકમ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ બાદ મળે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!