લેઇટ ફી વગર 01 જુલાઇ 2017 થી કરદાતાને રિટર્ન ભરવા દેવામાં આવે તેવો મહત્વનો આદેશ ગુજરાત હાઇકોર્ટ
![](https://taxtoday.co.in/wp-content/uploads/2020/12/Gujarat-High-Court-1-1024x576.jpg)
Important Case Law with Tax Today
જેપ મોડયુલર ફર્નિચર કોન્સેપ્ટસ પ્રા. લી વી. ગુજરાત રાજ્ય
ગુજરાત હાઇકોર્ટ, SCA 20888/2019
ઓર્ડર તા. 19.03.2021
કેસના તથ્યો:
- કરદાતા ફર્નિચર ઇમ્પોર્ટ કરી તેનું વેચાણ કરવાનો ધંધો કરતાં હતા.
- તેઓ ગુજરાત રાજ્યના વેટ કાયદા હેઠળ નોંધાયેલ હતા.
- તેઓને જી.એસ.ટી. હેઠળ માઈગ્રેશન દ્વારા પ્રોવીઝનલ નોંધણી દાખલો આપવામાં આવ્યો હતો.
- કરદાતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વેટ રિટર્ન ભરવામાં ચૂક કરવામાં આવી હતી અને આથી તેઓનો વેટ હેઠળનો નોંધણી દાખલો 15 જૂન 2017 ના રોજ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
- આ નોંધણી રદના આદેશ ઉપરથી કરદાતાનો જી.એસ.ટી. હેઠળનો પ્રોવિઝનલ નોંધણી દાખલો બ્લોક કરી દેવામાં આવ્યો હતો તથા તેઓને જી.એસ.ટી. હેઠળ કાયમી નોંધણી દાખલો આપવામાં આવ્યો ન હતો.
- કરદાતાએ નોંધણી દાખલા રદના આદેશ સામે અપીલ કરી હતી. આ અપીલ 03 એપ્રિલ 2018 ના આદેશથી માન્ય રહી હતી અને વેટ હેઠળનો નોંધણી દાખલો જે તારીખથી રદ થયો હતો તે તારીખ થીજ ફરી “રિસ્ટોર” કરવામાં આવ્યો હતો.
- કરદાતા દ્વારા વિવિધ અધિકારીઓને જી.એસ.ટી. ફાઇનલ રજીસ્ટ્રેશન આપવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી.
- જી.એસ.ટી. રજીસ્ટ્રેશન ઇનેક્ટિવ હોવાના કારણે કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્ય ના હતા અને ક્રેડિટ પણ ક્લેમ કરી શક્યા ના હતા.
- અનેક રજૂઆતો છતાં કોઈ સમાધાન ના આવતા આ રિટ પિટિશન કરવામાં આવી હતી.
સરકાર તરફે રજૂઆત:
- સરકાર તરફે ખાસ કોઈ રજૂઆત કરવામાં આવી ના હતી. તેઓએ એફિડેવિટમાં અમુક વિગતો રજૂ કરવામાં આવી હતી.
કોર્ટનો ચુકાદો:
- ડિપાર્ટમેંટ તરફથી કરવામાં આવેલ એફિડેવિટની વિગતો જોતાં તદ્દન અયોગ્ય લાગે છે.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આદેશ આપવામાં આવે છે કે કરદાતાનો જી.એસ.ટી. નંબર એક્ટિવ કરવામાં આવે અને ફાઇનલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે.
- કરદાતાને 01 જુલાઇ 2017 થી તમામ રિટર્ન લેઇટ ફી વગર ભરવા દેવામાં આવે.
- કરદાતાને ઇમ્પોર્ટ તથા તેમની ખરીદીઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. ની કલમ 16(4) ની સમય મર્યાદા જોયા વગર ક્લેઇમ કરવાં દેવામાં આવે.
(સંપાદક નોંધ: આ ચુકાદો ખૂબ મહત્વનો છે. ઘણા કેસોમાં એવું જોવામાં આવે છે કે અધિકારીઓને અનેક રજૂઆતો છતાં પણ કરદાતાને ન્યાયિક રાહત આપવામાં આવતી નથી. ના-છૂટકે કરદાતાએ હાઇકોર્ટ સુધી લાંબુ થવું પડતું હોય છે. પણ હાઇકોર્ટ આ કેસની જેમ અનેક કેસોમાં એ સાબિત કર્યું છે કે ટેકનિકાલીટીસ કરતાં ન્યાયનું હિત વધુ જરૂરી છે. ટેક્સ ટુડે વાંચકોને ખાસ અપીલ કરે છે કે આ પ્રકારની મુશ્કેલીનો સામનો પોતે કરતાં હોય તો ટેક્સટુડે ટિમનો સંપર્ક કરી શકે છે અને અમારી ટિમ તમારા કિસ્સામાં યોગ્ય સલાહ આપી આગળના પગલાં અંગે ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે. આ કેસમાં કરદાતા વતી સફળ રજૂઆતો કરનાર એડવોકેટ ઉચિત શેઠને ખાસ અભિનંદન. અત્રેએક બાબત નોંધાવી જરૂરી છે કે આ કેસનો ચુકાદો તમામ ટેક્સપેયરને કામ ના આવે. માત્ર આ કેસના ગુણદોષ જોઈ આ કેસના પીટીશ્ન્રરને જ લાગુ પડે.)