સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 27.01.2024
![](https://taxtoday.co.in/wp-content/uploads/2022/02/Tax-questions-entreprenuers.jpg)
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
Goods & Services Tax
- અમારા અસીલ માલિકી ધોરણે ધંધો કરે છે. તેઑનું ટર્નઓવર માસિક 50 લાખથી વધુ હોય જી.એસ.ટી. નિયમ 86B લાગુ પડે છે. તેઓનો વેરો હેઠળ જે 1% વેરો ભરવામાં મુક્તિ મળતી જોગવાઈ છે તે અંગે ઇન્કમ ટેક્સ ભરવાના નિયમમાં પાછલા બે નાણાકીય વર્ષ પૈકી 1 વર્ષમાં 1 લાખથી વધુ વેરો ભરેલ જ છે. પરંતુ એક વર્ષમાં આ વેરો 99400/- ભરેલ છે. તો શું તેઓ 600 થી વધુ વેરો સ્વૈચ્છીક રીતે ભરી આપે તો આ જોગવાઈની બહાર નીકળી શકે? જિગ્નેશ દેત્રોજોં, ધોરાજી
જવાબ: નિયમ 86B હેઠળ કરદાતા દ્વારા 1 લાખથી વધુ વેરો ભરેલ હોવો જોઈએ તેવો નિયમ છે. આમ, આપના અસીલ જોં 600 થી વધુ વેરો ભરી આપે તો આ નિયમનું પાલન થઈ ગયું ગણાય. પરંતુ અધિકારી જ્યારે આકારણી કરશે ત્યારે વેરો ભર્યાના પુરાવા તરીકે માત્ર ઇન્કમ ટેક્સ રિટર્ન ધ્યાનમાં લે તેવી શક્યતા છે. આમ, જોં આપના દ્વારા આ વધારાનો ટેક્સ ભરી રિટર્ન રીવાઇઝ પણ કરવામાં આવે તો આપ આ જોગવાઈની બહાર નીકળો શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલ પ્રોપરાઇટર ધોરણે ધંધો કરતાં હતા. હવે તેઓનું અવસાન થતાં તેઓના બે પુત્રો છે જેઓ ભાગીદારીમાં આ ધંધો સાંભળે છે. શું આ સંજોગોમાં પોતાના પિતાના ધંધાનો માલ સ્ટોક, દેણા-લેણા, મશીનરી વગેરે ટ્રાન્સફર કરી શકે? કૃષ્ણકાંત દેવાની
જવાબ: હા, માલિકી ધોરણે ધંધો કરતાં પિતાનું અવસાન થતાં તેઓના વારસદાર ભાગીદારી ધોરણે પણ ધંધો સાંભળી મિલકત-જવાબદારી ટ્રાન્સફર કરી શકે તેઓ અમારો મત છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18 જોવા વિનંતી.
- અમારા અસીલ દ્વારા એક્સ્પ્રેસ કાર્ગો ક્લીયરિંગ સિસ્ટમ દ્વારા માલ ઇમ્પોર્ટ કરેલ છે. તેઓ ની Bill of Entry ડિસેમ્બર 23ના GSTR 2B કે 2A માં દર્શાવતી નથી. આ BOE GST પોર્ટલ ઉપર Search BoE હેઠળ પણ દર્શાવતી નથી. મારો આ પ્રશ્ન છે કે આ અંગે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે મેળવવી? વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ઇમ્પોર્ટ કરેલ માલ ઉપર ભરેલ IGSTની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ખરેખર ભરેલ રકમના પ્રમાણમાં લઈ શકાય છે ભલે આ રકમ GSTR 2B કે 2A માં દર્શાવતી ના હોય તો પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલ રેસ્ટોરન્ટના ધંધા સાથે સલગ્ન છે. તેઓ દ્વારા રેસ્ટોરન્ટમાં ચા, કોફી, આઇસ્ક્રીમ, કેક વગેરેનું વેચાણ કરવામાં આવે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ રેગ્યુલર સ્કીમમાં છે. શું આ રેસ્ટોરન્ટમાં આઇસ્ક્રીમનું વેચાણ કરવામાં આવતું હોય તો પણ જી.એસ.ટી. નો દર 18% રહે? અને જોં 18% માં આઇસ્ક્રીમનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: રેસ્ટોરન્ટમાં જ્યારે આઇસ્ક્રીમનું વેચાણ કરવામાં આવે ત્યારે તેના ઉપર 5% ના દરે જ જી.એસ.ટી. લાગુ પડે અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ધરાવતી ભાગીદારી પેઢી તા. 31.03.2018. ના રોજ વિસર્જન કરવામાં આવી હતી. આ ભાગીદારી પેઢીમાં જે પણ માલ હતો તે એક માલિકી (Proprietorship) તા. 31.03.2018 રોજ વેચવામાં આવ્યો હતો. આ એક માલિકી (Proprietorship) GSTની નોંધણી તા. 03.04.2018 પ્રાપ્ત થઈ હતી.
GST રિટર્ન GSTR I ફાઇલ કરતી વખતે ભાગીદારી પેઢીએ એક માલિકી (Proprietorship) ના નવા GST નંબરમા વેચાણ દર્શાવ્યું હતું.
આ કિસ્સામાં એક માલિકી (Proprietorship) ઇનપુટ ક્રેડિટ મેળવી શકે ?