સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 08 July 2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અમારા અસીલનું ટનઓવર ૫ કરોડથી ઉપર છે,અને તેને ઓગસ્ટ ૨૩ થી ઈ-ઇન્વોઇસ બનાવવાનું ફરજીયાત છે. તેમને હોલસેલનો વેપાર છે,એટલે ઘણીવાર B૨B વેચાણમાં માલ ડિલેવરી સમયે RETURN થતો હોય છે. તો શું ઈ-ઇન્વોઇસ બની ગયા પછી તેમાં સુધારો કરી શકાય ? જો ન કરી શકાય તો તે માલ પરત આવ્યો તેનું ADJUST કઈ રીતે થઈ શકે ?                                                            નિમેષ પરિખ, જુનાગઢ

જવાબ: આપના અસીલ દ્વારા B2B અસીલને આપવામાં આવેલ ઇ ઇંવોઇસના કિસ્સામાં માલ પરત થાય ત્યારે આ અંગે વેચનાર દ્વારા ખરીદનારને ઇ ક્રેડિટ નોટ આપી આ માલ પરત એડજસ્ટ કરી શકાય તેવો અમારો મત છે.

  1. વેટ કાયદા હેઠળ આકારણીમાં બાકી વેરાનું માંગણું ઉપસ્થ્તિ થાય તેની સામે ઇનપુ ટેક્સ ક્રેડિટ જમા રહેતી હોય ત્યારે વ્યાજ લાગુ પડે નહીં તે પ્રમાણેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો છે. આ ચુકાદો જી.એસ.ટી. માં લાગુ પડે કે નહીં તે અંગે જાણકારી આપવા વિનંતી. જીતેશ કાપડિયા, જેતપુર

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ પાછલી અસરથી કલમ 50 માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ જે સંજોગોમાં કરદાતા કેશ લેજર દ્વારા રકમ ભરવા જવાબદાર થતાં હોય અને તેના દ્વારા કર ભરવામાં ચૂક કરવામાં આવે તો જ વ્યાજ લાગુ પડે તેવો અમારો મત છે. ક્રેડિટ દ્વારા કરદાતા જ્યારે ટેક્સ ભરી શકતા હોય અને આમ, રોકડમાં કોઈ વેરો જે તે સમય પર ભરવાનો થતો ના હોય ત્યારે વ્યાજની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ એક્સપોર્ટ કરે છે. આ સાથે તેઓનું લોકલ વેચાણ પણ છે. અમે જ્યારે GSTR 1 ફાઇલ કરીએ ત્યારે વિથઆઉટ પેમેન્ટ ઓફ ટેક્સમાં અમે દર્શાવીએ છીએ. પરંતુ નીચે ટેકસેબલ વેલ્યૂના કૉલમમાં 0% માં દર્શાવવાની આવે કે અન્ય કોઈ જગ્યાએ દર્શાવવાની રહે? વિમલ કાકડિયા, રાજકોટ

જવાબ: આપના અસીલ દ્વારા એક્સપોર્ટ કરવામાં આવેલ માલની રકમ ટેકસેબલ વેલ્યૂના કૉલમમાં જે તે માલના ટકાવારી સામે દર્શાવવાનું રહે તેવો અમારો મત છે.   

  1. અમારા અસીલ પશ્ચિમ બંગાળમાંથી ખરીદી કરે છે. આ માલ તેઓ દ્વારા વેચનાર વેપારીને સીધો મધ્ય પ્રદેશ મોકલવા જણાવવામાં આવે છે. આ માલના વેચનાર (પશ્ચિમ બંગાળ) ના વેપારી માટે પ્લેસ ઓફ સપ્લાય મધ્ય પ્રદેશ આવે કે ગુજરાત?

જવાબ: આપના અસીલ જ્યારે પશ્ચિમ બંગાળ માંથી માલ ખરીદી આ માલની ડિલિવરી મધ્ય પ્રદેશ મોકલવા સૂચના આપે ત્યારે પશ્ચિમ બંગાળમાંથીમાલ વેચાણના બિલમાં પ્લેસ ઓફ સપ્લાય ગુજરાત આવે તેવો અમારો મત છે. ગુજરાતના વેપારીએ માલનું વેચાણ મધ્ય પ્રદેશને દર્શાવવાનું રહે અને આ ઇંવોઇસમાં પ્લેસ ઓફ સપ્લાય મધ્ય પ્રદેશ આવે તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!