સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 04th October 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Experts

જી.એસ.ટી

  1. અમારા અસીલ એજન્સી ધંધો ધરાવે છે. તેઓની ખરીદી જે રકમ પર થતી હોય છે તેનાથી ઓછી રકમ ઉપર વેચાણ કરવાનું થતું હોય છે. જે કંપનીનો માલ અમારા અસીલ વેચે છે તેઓ બાદમાં અમારા અસીલને ક્રેડિટ નોટ આપે છે. આ પ્રકારના વ્યવહારના કારણે અમારા અસિલે “કેશમાં” વેરો ભરવાનો થતો જ નથી. આ ક્રેડિટ નોટ ઉપર અમારે GST ભરવાની જવાબદારી આવે? આ અંગે કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો જણાવશો.                                                                                                                                            નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ જુનાગઢ

જવાબ: આ વ્યવહારમાં ક્રેડિટ નોટની વિગતો ચકાસવી જરૂરી છે. આ ક્રેડિટનોટ જો ડિસ્કાઉંટ બાબતની હોય અને વેચનાર દ્વારા ક્રેડિટનોટમાં કોઈ જી.એસ.ટી. લગાડેલ ના હોય તો જી.એસ.ટી. ભરવાની જવાબદારી ના આવે. જો આ ક્રેડિટ નોટ કમિશન અંગેની હોય તો તમારા અસીલ જી.એસ.ટી. ભરવા જવાબદાર બની શકે છે તેવો અમારો મત છે.  

 

  1. અમારા અસીલ જે પેઢીને માલનું વેચાણ કરે છે તે પેઢી મહારાષ્ટ્રમાં નોંધાયેલ છે. આ પેઢીને અમારા દ્વારા સપ્લાય થતાં માલની ડિલિવરી ગુજરાતમાં જ જોઈએ છે. આ વ્યવહાર ઉપર CGST/SGST લાગુ પડે કે IGST?                                                                     હિત લિંબાણી, કચ્છ

જવાબ: આ વ્યવહાર ઉપર IGST લાગુ પડે. આ બાબતે IGST કાયદાની કલમ 10(1)(a) જોઈ જવા વિનંતી.

 

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ જે માલનું વેચાણ કરે છે તેના ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે છે. તેઓનું વેચાણ મોટા ભાગે આંતર રાજ્ય વેચાણ હોય છે. આ ટ્રાન્સપોર્ટ ઉપર તેઓ 12% જી.એસ.ટી. ચૂકવતા હોય છે. આ કારણે તેમની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મોટા પ્રમાણમા જમા રહેતી હોય છે અને વર્કિંગ કેપિટલ બ્લોકેજ થતું હોય છે. આ અંગે કોઈ સમાધાન હોય તો સૂચવશો?                                                પિયુષ લિંબાણી, કચ્છ

જવાબ: આ અંગેનું પ્રેક્ટિકલ સમાધાન એ જ ગણાય કે તમારા અસીલ અનરજીસ્ટર્ડ અથવાતો RCM ભરવાના વિકલ્પ પસંદ કરેલ હોય તેવા ટ્રાન્સપોર્ટરની સેવા લે. આમ કરવાથી GST 12 % ના સ્થાને 5% RCM ભરવાપાત્ર થશે અને વર્કિંગ કેપિટલ બ્લોકેજ ઓછો થશે. 

 

  1. હું એડવોકેટ છું. અમો મ્યુનિસિપાલિટીને કાયદાકીય સલાહ આપીએ છીએ. આ સેવા ઉપરની રકમ ઉપર અમારે વેરો ભરવાની જવાબદારી આવે કે મ્યુનિસિપાલિટીએ આ રકમ ઉપર RCM ઉપર વેરો ભરવાનો રહે?                                                                             ભરતભાઇ સેલરકા, એડવોકેટ

    જવાબ: જી.એસ.ટી.ની કલામ 9(3) હેઠળ એડવોકેટની સેવા જો બિઝનેસ એંટીટી (ધંધાકીય એકમ) ને આપે તે સિવાયની તમામ સેવા કરમુક્ત છે. મ્યુનિસિપાલિટીને એડવોકેટ દ્વારા આપવામાં આવેલ સેવા ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 9(3) હેઠળ RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!